Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

|

Jan 30, 2022 | 1:09 PM

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ વેક્સિના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે.

Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
Corona Vaccination (File Photo)

Follow us on

Corona vaccination : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandaviya)રવિવારે જણાવ્યુ હતુ કે, દેશના 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ કોરોનાની વેક્સિનના (Corona Vaccine)  બંને ડોઝ લીધા છે. માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે ‘સબકા સાથ સબકા પ્રયાસ’ના મંત્ર સાથે ભારતે તેની 75 ટકા પુખ્ત વસ્તીને કોરોના રસીના બંને ડોઝ આપ્યા છે. આપણે કોરોનાની લડાઈમાં વધુ મજબૂત બની રહ્યા છીએ.આપણે નિયમોનું પાલન કરવું પડશે અને શક્ય તેટલી વહેલી તકે વેક્સિન લેવી પડશે.

ઉપરાંત આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારત સરકાર અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 164.36 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં 12.43 કરોડથી વધુ કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં

તમને જણાવી દઈએ કે, દેશવ્યાપી કોવિડ 19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયુ હતુ. જ્યારે કોવિડ 19 રસીકરણનો બીજો તબક્કો 21 જૂન 2021થી શરૂ થયો હતો. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રસીકરણ અભિયાનના નવા તબક્કામાં કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી 75 ટકા રસીની ખરીદી કરીને રાજ્યો અને કેન્દ્રોને મફતમાં સપ્લાય કરશે.

PM મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદીએ પણ ભારતની આ ઉપલબ્ધિ પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યુ કે, તમામ પુખ્ત વયના 75 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે દેશવાસીઓને અભિનંદન. સાથે જ તેમણે કહ્યુ કે, રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે.

24 કલાકમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે અને 893 દર્દીઓના મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે 3,52,784 લોકો કરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસોની (Active Case) સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : ભારતની પ્રથમ કોરોના દર્દી તેના ‘સ્વપ્ન’ પુરુ કરવા Wuhan પરત જવા માંગે છે, સરકારને મદદની કરી અપીલ

Next Article