કોરોનાની ઝપેટમાં આવ્યા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી

|

Jan 27, 2022 | 8:48 PM

ડૉ. એસ જયશંકરે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો ભૂતકાળમાં તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓએ પણ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

કોરોનાની ઝપેટમાં આવ્યા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી
Minister of external affairs S Jaishankar tests positive for COVID-19

Follow us on

દેશમાં કોરોના વાયરસનો (Corona Virus) કહેર યથાવત છે. આ દરમિયાન ઘણા મોટા નેતાઓના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે આ યાદીમાં વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરનું (S Jaishankar) નામ પણ સામેલ થઈ ગયું છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે લોકો ભૂતકાળમાં તેમના સંપર્કમાં આવ્યા છે, તેઓએ પણ જરૂરી સાવચેતી રાખવી જોઈએ.

આ દરમિયાન દેશમાં કોરોનાના વધતા આંકડાની વાત કરીએ તો રોજે વધુને વધુ કેસો સામે આવી રહ્યા છે, જેનાથી લોકોમાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 (COVID-19)ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4 કરોડ 3 લાખ 71 હજાર 500 થઈ ગઈ છે.

કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron ને લઈને એલર્ટ જાહેર કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે આ સમયે Omicron ભારતમાં કોરોનાના વધતા કેસોનું મુખ્ય કારણ બની રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ઓમિક્રોનના કારણે કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને સંબંધિત અધિકારીઓને રોગના અસરકારક સંચાલન માટે જરૂરી સૂચનાઓ જાહેર કરવા જણાવ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બીજી તરફ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ના કેસ સ્થિર થવાના સંકેત આપ્યા છે. પરંતુ મંત્રાલયે ચેતવણી આપી છે કે આ વલણને જોવાની જરૂર છે અને જરૂરી સાવચેતી જાળવવાની જરૂર છે. 90 ટકાથી વધુ સક્રિય કેસો ઘરની આઇસોલેશનમાં છે, જે રોગની હળવીથી મધ્યમ તીવ્રતા દર્શાવે છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ડાયરેક્ટર સુજીત સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે Omicronનું ba.2 સબ-વેરિઅન્ટ હવે ભારતમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મીડિયાને સંબોધતા, સરકારે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં, જીનોમ સિક્વન્સિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટના 1,292 કેસ મળી આવ્યા હતા, જ્યારે જાન્યુઆરીમાં આ સંખ્યા વધીને 9,672 થઈ ગઈ હતી.

 

આ પણ વાંચો –

Video : DJ ના તાલમાં દાદા-દાદીએ માર્યા ઠુમકા, એનર્જેટિક ડાન્સ જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા

આ પણ વાંચો –

બોયફ્રેન્ડ પાસે જે મકાનનું ભાડુ ભરાવી રહી હતી, બાદમાં ગર્લફ્રેન્ડ જ નીકળી એ મકાનની માલિક

Next Article