Corona Update: કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા અને 284 લોકોના મોત

|

Jan 02, 2022 | 11:49 AM

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 94 નવા કેસ આવ્યા પછી, રવિવારે કેસની કુલ સંખ્યા વધીને 1525 થઈ ગઈ છે. ચિંતાજનક વાત એ છે કે, નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મળી આવ્યા બાદ, ઓમિક્રોન હવે દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ગયો છે.

Corona Update: કોરોનાના કેસમાં સતત વધારો, 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા અને 284 લોકોના મોત
Corona Cases in Australia

Follow us on

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં (Corona Cases) વધારો જોવા મળ્યો છે. આ આંકડા જોઈને માત્ર સરકાર જ નહીં, જનતા પણ ટેન્શનમાં આવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,553 નવા કેસ નોંધાયા છે, જ્યારે 284 લોકોના મોત થયા છે. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના 94 નવા કેસ (Omicron Cases) આવ્યા પછી, રવિવારે કેસની કુલ સંખ્યા વધીને 1525 થઈ ગઈ છે. ચિંતાજનક વાત એ છે કે, નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં પ્રથમવાર મળી આવ્યા બાદ, ઓમિક્રોન હવે દેશના 23 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. તેમાં કેન્દ્રશાસિત પ્રદેશો પણ સામેલ છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના સૌથી વધુ કેસ છે. અહીં Omicron વેરિયન્ટના 460 કેસ છે. મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં 351, ગુજરાતમાં 136, તમિલનાડુમાં 117, કેરળમાં 109, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 67, હરિયાણામાં 63, કર્ણાટકમાં 64, આંધ્રપ્રદેશમાં 17, પશ્ચિમ બંગાળમાં 20, ઓડિશામાં 14, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 8, ચંદીગઢમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 3, આંદામાન અને નિકોબારમાં 2, ગોવામાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 અને પંજાબમાં 1 કેસ છે.

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે

ભારતમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે, કોરોનાના 22,775 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આજે દેશભરમાંથી કોવિડના 27,553 કેસ નોંધાયા છે. આ દરમિયાન 284 દર્દીઓના મોત થયા છે. મૃત્યુના નવા આંકડા સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,81,486 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના (Corona Virus) સક્રિય દર્દીઓ વધીને 1,22,801 થઈ ગયા છે.

મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 9,249 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,42,84,561 થઈ ગઈ છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 2.55 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.35 ટકા છે. ડેટા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં 145.44 કરોડ કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવી છે.

 

આ પણ વાંચો : આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ

આ પણ વાંચો : Uttarakhand Election 2022 : સગા-સંબંધીઓને ટિકિટ અપાવવા કોંગ્રેસીઓ ભલામણમાં વ્યસ્ત, ફોર્મ્યુલાના અભાવે નેતાઓ મૂંઝવણમાં

Next Article