1.32 લાખ નવા કેસ, 2713 મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ જાહેર કરેલા કોરોના વાયરસના લેટેસ્ટ અપડેટેડ આંકડા (India Corona Update) અનુસાર, દેશમાં 4 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,32,364 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2,85,74,350 થઇ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2713 દર્દીઓના મૃત્યુ થયા છે, દેશમાં કુલ મૃત્યુઆંક 3,40,702 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,07,071 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. આ સાથે દેશમાં કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા 2,65,97,655 થઇ છે. દેશમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 16,35,993 થઇ છે.
👉औसतन दैनिक मामलों में पिछले 4 हफ्तों से गिरावट जारी है
👉पिछले तीन हफ्तों में 20 प्रतिशत की दर से गिरावट दर्ज की गई है
👉कुल मिलाकर देश में कोविड 19 के मामलों में 63 प्रतिशत की कमी दर्ज की गई है @MoHFW_INDIA#Unite2FightCorona pic.twitter.com/P6LMPRuEQP
— पीआईबी हिंदी (@PIBHindi) June 4, 2021
કોરોનાના કેસોમાં 63 ટકાનો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં સરેરાશ ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસો ઘટવાનું શરૂ છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં નવા કેસોમાં 20 ટકા ઓછા કેસો નોંધાયા છે. કુલ મળીને દેશમાં કોરોનાના નવા કેસોમાં 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.
66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે દેશમાં નવા નોધાયેલા કેસોમાંથી 66 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી જ છે. જયારે 33 ટકા કેસો 31 રાજ્યોમાંથી છે. સરેરાશ 100 થી વધુ કેસોવાળા જિલ્લાની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. 257 જિલ્લાઓમાં સરેરાશ 100 થી વધુ નવા કેસો નોંધાયા છે. 377 જિલ્લાઓમાં 5 ટકાથી ઓછા કેસો નોંધાયા છે.
રસીનો પ્રથમ ડોઝ આપવામાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) ની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે વિશ્વના આંકડા મુજબ ભારતમાં રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 17.2 કરોડ છે. રસીનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું છે.