India Corona Update : દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો, આરોગ્ય મંત્રાલયે કહ્યું 66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી

|

Jun 04, 2021 | 6:50 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં સરેરાશ ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસો ઘટવાનું શરૂ છે.

India Corona Update : દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો, આરોગ્ય મંત્રાલયે કહ્યું 66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી
Health Ministry Daily press briefing

Follow us on

India Corona Update : દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. 4 જૂને છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,32,000 જેટલા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસમાં સતત 2 લાખથી ઓછા નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઘટતા જતા કોરોનાના નવા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે હવે નવા કેસોમાંથી 66 ટકા કેસો માત્ર 5 રાજ્યોમાંથી છે.

 

1.32 લાખ નવા કેસ, 2713 મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ જાહેર કરેલા કોરોના વાયરસના લેટેસ્ટ અપડેટેડ આંકડા (India Corona Update) અનુસાર, દેશમાં 4 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,32,364 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2,85,74,350 થઇ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2713 દર્દીઓના મૃત્યુ થયા છે, દેશમાં કુલ મૃત્યુઆંક 3,40,702 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,07,071 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. આ સાથે દેશમાં કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા 2,65,97,655 થઇ છે. દેશમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 16,35,993 થઇ છે.

કોરોનાના કેસોમાં 63 ટકાનો ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં સરેરાશ ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસો ઘટવાનું શરૂ છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં નવા કેસોમાં 20 ટકા ઓછા કેસો નોંધાયા છે. કુલ મળીને દેશમાં કોરોનાના નવા કેસોમાં 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.

66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે દેશમાં નવા નોધાયેલા કેસોમાંથી 66 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી જ છે. જયારે 33 ટકા કેસો 31 રાજ્યોમાંથી છે. સરેરાશ 100 થી વધુ કેસોવાળા જિલ્લાની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. 257 જિલ્લાઓમાં સરેરાશ 100 થી વધુ નવા કેસો નોંધાયા છે. 377 જિલ્લાઓમાં 5 ટકાથી ઓછા કેસો નોંધાયા છે.

રસીનો પ્રથમ ડોઝ આપવામાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) ની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે વિશ્વના આંકડા મુજબ ભારતમાં રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 17.2 કરોડ છે. રસીનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું છે.

Next Article