Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત

|

Mar 14, 2022 | 2:48 PM

સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયું હતું.

Corona Vaccination: હવે દેશભરમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને અપાશે વિનામૂલ્યે કોરોનાની રસી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જાહેરાત
Corona vaccine (symbolic image)

Follow us on

કોરોના વાયરસ (Corona virus) સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન, 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Corona vaccine) આગામી 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ‘બુસ્ટર ડોઝ’ (Booster dose) આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સોમવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું, ‘બાળકો સુરક્ષિત તો, દેશ સુરક્ષિત ! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારજનો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ કરાવવા વિનંતી કરું છું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૂત્રોનું કહેવું છે કે 12 થી 14 વર્ષની વયજૂથને બાયોલોજિક ES કોર્બોવેક્સની રસી આપવામાં આવશે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ દેશભરમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. ભારતે આ વર્ષે 10 જાન્યુઆરીથી આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ચૂંટણી ફરજ પરના લોકો સહિત 60 અને તેથી વધુ વયના લોકોને એન્ટી-કોવિડ-19 રસીના બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેશમાં અત્યાર સુધીમાં 180.19 કરોડથી વધુ રસી અપાઈ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે 7 વાગ્યા સુધી દેશમાં કોવિડ-19 રસીકરણ 180.19 કરોડ (1,80,19,45,779) ને વટાવી ગયું છે. આ સિદ્ધિ 2,10,99,040 રસીકરણ ઝુંબેશ દ્વારા હાંસલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોવિડ-19 રસી બધાને ઉપલબ્ધ કરાવવા માટે 21 જૂન 2021થી નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

દેશમાં 17.38 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે

આરોગ્ય મંત્રાલયે કહ્યું, ‘વધુ અને વધુ રસીની ઉપલબ્ધતા દ્વારા રસીકરણ અભિયાનની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. રસીકરણની ઝુંબેશ હેઠળ, રાજ્યોને રસીની ઉપલબ્ધતા વિશે અગાઉથી જાણ કરવામાં આવે છે, જેથી તેઓ રસીકરણ માટે વધુ સારી રીતે આયોજન કરી શકે અને રસીની સપ્લાય ચેઇનને યોગ્ય રીતે આયોજન કરી શકે. અત્યાર સુધીમાં, કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોને રસીના લગભગ 182.79 કરોડ (1,82,79,40,230) ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં, કોવિડ-19 રસીના 17.38 કરોડ (17,38,21,446) થી વધુ વધારાના અને ન વપરાયેલ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ

Surat : છેલ્લા 10 દિવસમાં કોરોનાના ફક્ત 11 જ કેસ, મનપાએ હવે લોકો સુધી પહોંચવાને બદલે હેલ્થ સેન્ટરો પર જ ટેસ્ટિંગ ચાલુ રાખ્યું

આ પણ વાંચોઃ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા થયા કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી

Published On - 2:29 pm, Mon, 14 March 22

Next Article