Corona: હોસ્પિટલોમાં ફરી વધવા લાગ્યા પોસ્ટ કોવિડના દર્દી, વૃદ્ધોની મુશ્કેલી વધી

|

Feb 18, 2022 | 6:50 AM

કોરોનામાંથી સાજા થયા પછી, કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યા ત્રણ અઠવાડિયાથી કેટલાક મહિનાઓ સુધી રહે છે. ઘણા કિસ્સામાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે

Corona: હોસ્પિટલોમાં ફરી વધવા લાગ્યા પોસ્ટ કોવિડના દર્દી, વૃદ્ધોની મુશ્કેલી વધી
covid 19 (symbolic image )

Follow us on

કોરોના (Corona)નો હાહાકાર હજુ યથાવત છે ત્યારે દેશમાં કોવિડ (covid 19)ના ત્રીજી દરમિયાન કોરોનોના ના કેસમાં હવે થોડો ઘટાડો થયો છે,પરંતુ કોરોના થયા બાદના તકલીફો છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી વધવા લાગ્યા છે. એવા લોકોની સંખ્યા વધી ગઇ છે, જેઓ કોરોનામાંથી સ્વસ્થ થયા પછી હવે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ લોકો સતત થાક, ફેફસામાં ઈન્ફેક્શન અને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

કેટલાક લોકોમાં ફરીથી કોરોનાના લક્ષણો પણ દેખાવા લાગ્યા છે. તપાસ કરતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે ડેડ વાયરસના કારણે રિપોર્ટ પોઝીટીવ આવી રહ્યો છે. આ લોકોને માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ વૃદ્ધોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કૌશામ્બીની યશોદા હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડૉ. અંકિત સિંહા કહે છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોવિડ પછીના દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. તેમાંથી, થાક, વાળ ખરવાની સમસ્યા એકદમ સામાન્ય છે. આ બંને લક્ષણો યુવાન અને વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. ઘણા લોકો હૃદય, ફેફસાં અને સ્નાયુઓને લગતી સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. વૃદ્ધ લોકો કે જેઓ થોડા સમય પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. તેને હૃદયની બીમારી છે. આ સમસ્યાઓ થોડા અઠવાડિયા અથવા તો કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

કામ કરવાની ક્ષમતાને અસર કરે છે

જીટીબી હોસ્પિટલના ડો. અજીત કુમાર કહે છે કે કેટલાક લોકો તાવ અને ઉધરસની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. તપાસમાં આ લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આમાંના મોટાભાગના લોકોને અગાઉ કોવિડ હતો. જો કે, આ ફરીથી ચેપના કિસ્સા નથી. આ લોકોના રિપોર્ટ પહેલા પોઝિટીવના કારણે આવ્યા છે અથવા તો તેમનામાં ડેડ વાયરસ હોઈ શકે છે. ડૉ.અજિતના કહેવા પ્રમાણે કેટલાક દર્દીઓ એવા છે જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ તેઓ થાક, શરીરમાં દુખાવો અને ઉધરસની ફરિયાદ કરે છે. આ લોકોને કોવિડ પછીની સમસ્યા છે.

પોસ્ટ કોવિડ શું છે

કોરોનામાંથી સાજા થયા પછી કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. તે ત્રણ અઠવાડિયાથી કેટલાક મહિના સુધી ચાલે છે. કોરોના થયા પછી શરીરમાં જે સમસ્યાઓ થાય છે તેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તે એવા લોકોમાં વધુ જોવા મળે છે. જેમને પહેલેથી જ ગંભીર બીમારી છે. અને જે દર્દીઓ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહવુ પડે તેમ પણ બને.

આ પણ વાંચો :Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું

આ પણ વાંચો :Twitter ના CEO બન્યાના 3 જ મહિના બાદ પેટરનીટી લીવ પર જઇ રહ્યા છે પરાગ અગ્રવાલ, કર્મચારીઓ માટે સેટ કર્યું ઉદાહરણ

Published On - 6:43 am, Fri, 18 February 22

Next Article