RRB-NTPC Result: ગયામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાડી આગ, રેલ મંત્રી 3.30 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ

|

Jan 26, 2022 | 3:48 PM

RRB-NTPC પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ પ્રદર્શન ચાલુ છે. બિહારમાં ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

RRB-NTPC Result: ગયામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ટ્રેનમાં લગાડી આગ, રેલ મંત્રી 3.30 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ
Train burnt down in Gaya

Follow us on

RRB-NTPC પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ પ્રદર્શન ચાલુ છે. બિહારમાં ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બુધવારે વિદ્યાર્થીઓએ ગયા જંક્શન પર પાર્ક કરેલી ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની એક બોગી સળગી રહી છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ગયાની સાથે જ બિહારના જહાનાબાદ, સમસ્તીપુર, રોહતાસ સહિતના ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેક પર ઉતરી ગયા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. મંગળવારે પણ વિદ્યાર્થીઓએ આરામાં આરા સાસારામ પેસેન્જરને આગ ચાંપી હતી, જ્યારે નવાદામાં મેન્ટેનન્સ કારને પણ આગ ચાંપી દીધી હતી.

RRB પરિણામ બાદ રેલ્વેએ ઉમેદવારોના જોરદાર પ્રદર્શનને લઈને મોટો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની માંગણીઓને લઈને રેલવેએ એક સમિતિની રચના કરી છે. રેલવે બોર્ડ દ્વારા ગઠિત કમિટી વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરશે. આ સંદર્ભમાં માહિતી આપતા પૂર્વ મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ RRB પરિણામમાં ગેરરીતિનો વિરોધ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડે એક સમિતિની રચના કરી છે. જે વિદ્યાર્થીઓની સમસ્યા તો દૂર કરશે જ પરંતુ વિદ્યાર્થીઓના હિંસક વિરોધની પણ તપાસ કરશે. સીપીઆરઓ રાજેશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ગયા એસપીએ શાંતિની અપીલ કરી

તે જ સમયે ગયામાં ટ્રેનમાં આગચંપી બાદ ઘટનાસ્થળે પહોંચેલા ગયાના એસપીએ પણ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ગયાના એસએસપી આદિત્ય કુમારે કહ્યું, “વિદ્યાર્થીઓ કોઈનાથી ગેરમાર્ગે ન દોરાય. રેલવેએ એક સમિતિની રચના કરી છે જે તપાસ કરશે. કેટલાક વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. તેમની સામે કાર્યવાહી ચાલુ છે.”

500 પ્રદર્શનકારીઓ સામે FIR

સોમવારે સાંજે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ મામલાને લઈને 500 અજાણ્યા પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.આ પહેલા વિરોધીઓએ બિહારના નવાદામાં રેલ્વે મેન્ટેનન્સ વાહનને પણ આગ લગાવી દીધી હતી. અહીં મંગળવારે સવારે સેંકડો વિરોધી ઉમેદવારો નવાદા રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને રેલ ટ્રેક જામ કરી દીધો. અહીં પહોંચેલા ઉમેદવારે રેલ્વે બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાટા ઉખેડી નાખ્યા હતા.

આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી

Published On - 2:51 pm, Wed, 26 January 22

Next Article