AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAF Agniveer Recruitment 2022 Form: એરફોર્સમાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આવી ગયું છે, agnipathvayu.cdac.in પર આજથી અરજી કરો.

IAF Agniveer Recruitment: અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂનના રોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકાય છે.

IAF Agniveer Recruitment 2022 Form: એરફોર્સમાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આવી ગયું છે, agnipathvayu.cdac.in પર આજથી અરજી કરો.
Iaf Agniveer Recruitment 2022 Form
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 7:37 AM
Share

IAF Agniveer Recruitment 2022: ભારતીય વાયુસેના (IAF) માં અગ્નિવીર વાયુ તરીકે જોડાવા માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી છે. અગ્નિપથ ભરતી યોજના (Agnipath Recruitment Scheme)માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી શરૂ થશે. જે યુવાનો એરફોર્સમાં જોડાવા ઈચ્છે છે તેઓ અધિકૃત વેબસાઈટ indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in પર જઈને અરજી કરી શકે છે.

અગ્નિવીર વાયુ (વાયુસેનામાં ભરતી થતા સૈનિકોને આપવામાં આવેલું નામ) ને એરફોર્સ એક્ટ 1950 હેઠળ ચાર વર્ષ માટે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. અત્રે નોંધનીય બાબત એ છે કે અગ્નિવીર વાયુ ભારતીય વાયુસેનામાં અન્ય કોઈપણ વર્તમાન રેન્કથી અલગ અલગ રેન્ક હશે. ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુને ચાર વર્ષની સેવાના સમયગાળાથી વધુ રેન્કમાં જાળવી રાખવા માટે બંધાયેલ નથી. જો કે, ચાર વર્ષની સેવા પૂરી થવા પર, અગ્નિવીર વાયુને એરફોર્સમાં કાયમી નોકરી માટે અરજી કરવાની તક પૂરી પાડવામાં આવશે.

IAF અગ્નિવીર ભરતી 2022 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

-રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ indianairforce.nic.in અથવા agnipathvayu.cdac.in ની મુલાકાત લો.

-અહીં તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નોંધણી માટે માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.

-ઉમેદવારો ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા નોંધણી કરશે.

-નોંધણી પછી વપરાશકર્તા નામ અને પાસવર્ડ જનરેટ થશે.

-આ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઈટ પર લોગઈન કરવામાં આવશે.

-અરજી ફોર્મમાં આધારની વિગતો પણ આપવાની રહેશે. આ કિસ્સામાં, ઉમેદવાર પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે.

-અગ્નિવીર વાયુ માટે અરજી કરનારા જમ્મુ અને કાશ્મીર, આસામ અને મેઘાલયના ઉમેદવારોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

-ઓનલાઈન અરજીમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.

-ફોર્મમાં ઉમેદવારે નામ, માતા-પિતાનું નામ, ઉંમર, સરનામું, શૈક્ષણિક લાયકાત જેવી માહિતી ભરવાની રહેશે.

-એકવાર ફોર્મ ભર્યા પછી, ફી ઓનલાઈન જમા કરવામાં આવશે.

-ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

29 ડિસેમ્બર 1999 થી 29 જૂન 2005 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. જો ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના તમામ તબક્કાઓ પૂર્ણ કરે છે, તો નોંધણીની તારીખે તેની ઉપલી વય મર્યાદા 23 વર્ષ છે.

Follow Us
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
Breaking News : ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
ઓફિસ વિવાદમાં જીત નક્કી, બિઝનેસમાં નફો અને આવકના નવા સ્રોત ખુલશે
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
NEET પુનઃપરીક્ષા પહેલા પેપર લીકનું કૌભાંડ? યુવરાજસિંહનો મોટો દાવો
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
માંડવીમાં સ્વામીના નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ, ધારાસભ્યનો વળતો પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">