સરકારી નોકરીની (Govt Jobs) ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. 10 ધોરણ પાસ ઉમેદવારોની યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL) દ્વારા એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની સૂચના જાહેર કરવામાં આવી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 13 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 12 નવેમ્બર 2023 સુધીમાં અરજી કરી શકે છે.
એપ્રેન્ટિસશિપની જગ્યાઓ પર ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહી. આ ભરતી દ્વારા કુલ 243 જગ્યાઓ ભરવામાં આવશે.
આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે. સૂચના અનુસાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ કર્યું હોવું જરૂરી છે. આ ઉપરાંત ખાલી જગ્યાના સંબંધિત ટ્રેડ (NCVT)માંથી ITI પાસ પણ જરૂરી છે.
જો વય મર્યાદાની વાત કરવામાં આવે તો, ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. SC, OBC અને PWD કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ અંગેની વધારે માહિતી સૂચનામાં આપવામાં આવેલ છે.
આ ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. જેમાં ધોરણ 10 ના માર્કસના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. તેમાં મહત્વની વાત એ છે કે, વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પણ ધોરણ 10 ના માર્કસ જ ગણવામાં આવશે.