
જ્યારે ટ્રેનમાં કોઈ મુસાફરનું અવસાન થાય છે, ત્યારે તેની જાણ સૌથી પહેલાં ટ્રેનમાં હાજર ટીટીઈ અથવા ગાર્ડને કરવામાં આવે છે. પરંતુ રેલવેના નિયમ મુજબ, ટ્રેનને ક્યારેય પણ વચ્ચે રસ્તામાં કે જંગલમાં રોકવામાં આવતી નથી. ટ્રેનને તેના રૂટ પર આવતા આગામી એવા મોટા સ્ટેશને રોકવામાં આવે છે જ્યાં રેલવેની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય. ટ્રેન ત્યાં પહોંચ્યા પછી જ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ થાય છે.
ટ્રેન નક્કી કરેલા નજીકના મોટા સ્ટેશને પહોંચતા જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય છે. સૌથી પહેલાં હાજર ડોક્ટર દ્વારા મુસાફરના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે છે. જો મૃત્યુ હાર્ટ એટેક કે કોઈ લાંબી બીમારી જેવા કુદરતી કારણોસર થયું હોય, તો પોલીસ પ્રાથમિક તપાસ કરીને પંચનામું તૈયાર કરે છે. કાયદાકીય જરૂરિયાત જણાશે તો જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે. મૃતકની ઓળખ અને તમામ કાગળિયાં પૂરા થયા બાદ જ શબને પરિવારજનોને સોંપવામાં આવે છે.
જો મૃતક વ્યક્તિની સાથે તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્રો મુસાફરી કરી રહ્યા હોય, તો તેઓ મૃતદેહની કાયદાકીય પ્રક્રિયા માટે તે સ્ટેશન પર જ ટ્રેનમાંથી ઉતરી શકે છે. જ્યારે ટ્રેનમાં સવાર બાકીના અન્ય મુસાફરો પોતાની આગળની યાત્રા તે જ ટ્રેનમાં ચાલુ રાખી શકે છે.
રેલવે તરફથી વળતર મળશે કે નહીં, તેનો આધાર મુસાફરના મોતના કારણ પર નિર્ભર કરે છે, વળતર ક્યારે મળે? જો મુસાફરનું મોત કોઈ ટ્રેન અકસ્માતના કારણે થયું હોય અથવા રેલવે વહીવટીતંત્રની કોઈ મોટી બેદરકારી સાબિત થાય તો જ વળતર મળવાપાત્ર છે. આ ઉપરાંત, જો મુસાફરે ટિકિટ બુકિંગ વખતે રેલવે વીમો લીધો હોય તો પણ વળતર મળે છે. વળતર ક્યારે ન મળે: જો મુસાફરનું મોત સામાન્ય બીમારી, હાર્ટ એટેક કે અન્ય કોઈ કુદરતી કારણોસર થયું હોય, તો રેલવે તરફથી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી.
જો મૃતકના પરિવારજનો શબને પોતાના વતન કે ઘરે લઈ જવા માંગતા હોય, તો ભારતીય રેલવે તેમને આ સુવિધા પૂરી પાડે છે. મૃતદેહને ખાસ ‘પાર્સલ વેન’ અથવા ‘લગેજ વેન’ દ્વારા મોકલી શકાય છે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે પરિવાર પાસે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે: