Cabinet Decisions: સરકારે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો, રિન્યુએબલ એનર્જી માટે કરી આ જાહેરાત

|

Jan 19, 2022 | 3:58 PM

Cabinet Meeting Decisions: કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકારે રિન્યુએબલ એનર્જી પર ખુબ ફોક્સ કર્યુ છે. 500 ગીગાવોટનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

Cabinet Decisions: સરકારે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો, રિન્યુએબલ એનર્જી માટે કરી આ જાહેરાત
Union Minister Anurag Thakur (File Image)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આજે ઘણા મહત્વના નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. કેબિનેટે (Cabinet) રિન્યુએબલ એનર્જી સેક્ટરના વિકાસ માટે IREDAને 1,500 કરોડ રૂપિયાના મૂડીરોકાણને મંજૂરી આપી. તે સિવાય કેબિનેટે સફાઈ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય આયોગ (National Commission for Safai Karamchari) ના કાર્યકાળને 3 વર્ષ માટે વધારી દીધો છે. કેબિનેટની બેઠકના પરિણામોની જાણકારી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમારી સરકારે રિન્યુએબલ એનર્જી પર ખુબ ફોક્સ કર્યુ છે. 500 ગીગાવોટનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો અને અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે નિર્ધારિત ટાર્ગેટ સમય પહેલા પૂરો કર્યો. રિન્યુએબલ એનર્જીની પાવર જનરેશન ક્ષમતા વધારવાની સાથે જ તેની ફાયનાન્સની ક્ષમતા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેબિનેટના નિર્ણય

તેનો 8,800 કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો 6 વર્ષમાં વધીને 28,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરનું ધિરાણ વધારવા માટે સરકારે તેને મૂડી આપવાની મંજૂરી આપી છે. તે 12,000 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકશે. જેનાથી 3500 મેગાવોટ ક્ષમતા વધારવા માટે ફાયનાન્સ ઉપલબ્ધ થશે.

શું થશે ફાયદો

કેપિટલ ઇન્ફ્યુઝન આ સેક્ટરમાં વાર્ષિક 10,200 નોકરીઓનું સર્જન કરશે અને CO2 સમકક્ષ ઉત્સર્જનમાં દર વર્ષે લગભગ 7.49 મિલિયન ટનનો ઘટાડો કરશે.

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ વધ્યો

કેબિનેટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને 31-3-2022થી આગામી 3 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપી છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ આ વર્ષે 31 માર્ચે ખત્મ થઈ રહ્યો છે.

વ્યાજ પર વ્યાજને લઈ કેબિનેટનો મોટો નિર્ણય

કેબિનેટે સ્પેસિફાઈડ લોન ખાતામાં ઉધાર લેનારાઓને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણી માટેની યોજનાને મંજૂરી આપી છે. સરકારે વ્યાજ પર વ્યાજની ચૂકવણીના બદલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને રૂ. 1,000 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે.

 

આ પણ વાંચો: Budget 2022: જ્વેલરી ઉદ્યોગની માંગ, સોનાથી બનેલા ઘરેણાં પર GST ઘટાડી 1.25 ટકા કરે સરકાર

આ પણ વાંચો: Union Budget 2022 : કેટલો Income Tax ભરવાનો ? જાણો વિવિધ ટેક્સ સ્લેબ વિષે સંપૂર્ણ માહિતી

Next Article