સારા સમાચાર : હવે કોરોનાની રસી મુકાવનારને આ બેંકો Fixed deposit પર આપશે વધુ વ્યાજ
રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે જાહેર ક્ષેત્રની બેંકોએ કોવિડ-19 રસીનો ડોઝ મેળવનારાઓને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર ઉંચા વ્યાજદરની જાહેરાત કરી છે.

કોરોના વાયરસ મહામારીને કારણે દરેક ઘરનું બજેટ ખોરવાયું છે. લોકો બચત અને રોકાણ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો તમે કોરોનાના સમયમાં પૈસાની ચિંતા કરતા હો અને બચત પર વધુ વ્યાજ મેળવવા માંગતા હો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) યોજનાઓમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી એ રોકાણનો સૌથી સહેલો અને સલામત વિકલ્પ માનવામાં આવે છે.
રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે જાહેર ક્ષેત્રની બેંકોએ કોવિડ-19 રસીનો ડોઝ મેળવનારાઓને ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર ઉંચા વ્યાજદરની જાહેરાત કરી છે. ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit)માં રોકાણકારને નિશ્ચિત સમયમાં નિશ્ચિત વળતર મળવાની ખાતરી છે, સાથે સાથે બજારના ઉતાર-ચડાવ પણ તેનાથી પ્રભાવિત નથી. હવે ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાઓ વધુ વ્યાજદર વાળા લોકોને વધુ આકર્ષિત કરી રહી છે.
યુકો બેંકે એક વિશેષ ઓફર રજૂ કરી સરકાર સંચાલિત યુકો બેંક (UCO Bank) કોવિડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોને 999 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) પર 30 બેસિસ પોઇન્ટ અથવા 0.30 ટકા વધુ વ્યાજ આપી રહી છે. લોકોને કોરોના રસીકરણ ડ્રાઇવ તરફ પ્રોત્સાહિત કરવા, યુકો બેંકે UCOVAXI-999 ઓફર રજૂ કરી છે. જો કે આ ઓફર ફક્ત 30 સપ્ટેમ્બર સુધી મર્યાદિત અવધિ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યાજદર 5.30 ટકા છે. લઘુત્તમ થાપણ પાંચ હજાર રૂપિયા અને મહત્તમ થાપણ બે કરોડ રૂપિયા છે.
What’s the best part about being vaccinated? Safety from the virus and Higher return with #UCOVAXI999 Fixed Deposit Scheme for #Vaccinated individuals! Contact nearby Branch for details! T&C Apply. #UCOBank Honours Your Trust pic.twitter.com/3ETIWAqz6U
— UCO Bankᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠᅠ (@UCOBankOfficial) June 8, 2021
સેન્ટ્રલ બેંક ઓકફ ઈન્ડિયાની વિશેષ ‘ઇમ્યુન ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ’ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India) એ પણ લોકો માટે આવી જ ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed deposit) ની ઓફર રજૂ કરી છે. COVID-19 સામે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે બેંકે વિશેષ થાપણ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ‘Immune India Deposit Scheme’ છે. આ યોજના અંતર્ગત કોરોનાની રસી લીધેલા લોકોને બેંક 0.25 ટકા વધુ વ્યાજ આપશે. યોજનાનો પાકતી મુદત 1,111 દિવસનો છે. વરિષ્ઠ નાગરિકો 0.50% વધારાના વ્યાજ માટે પાત્ર છે.
To encourage Vaccination under COVID 19, Central Bank of India launches Special Deposit Product “Immune India Deposit Scheme” for 1111 days at an attractive extra Interest rate of 25 basis points above the applicable card rate for Citizens who got Vaccinated.#Unite2FightCorona pic.twitter.com/MKEJaHgMpE
— Central Bank of India (@centralbank_in) April 12, 2021
