ITC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી(Sanjiv Puri)એ કહ્યું છે કે ડિમર્જ્ડ હોટેલ બિઝનેસ(ITC hotel demerger)નું બુકકીપિંગ મજબૂત હશે અને કંપની દેવામુક્ત(Debt Free) પણ બનશે. વિશ્લેષકો સાથેની ચર્ચામાં પુરીએ જણાવ્યું હતું કે એકવાર હોટેલ બિઝનેસ માટે અલગ કંપનીની રચના કરવામાં આવે તો તે જરૂર પડશે તો ડેટ, ઇક્વિટી અથવા વ્યૂહાત્મક રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરી શકશે.
નવી કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરશે કે આવી મૂડીની ક્યારે જરૂર પડશે એમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે નવી કંપની ઓછી મૂડીની જરૂરિયાતવાળા મોડલ પર કામ કરશે. પુરીએ જણાવ્યું હતું કે ITC 40 ટકા હિસ્સા સાથે કંપનીમાં તેનું રોકાણ ચાલુ રાખશે. નવી કંપનીની કામગીરી સ્થિર રહેશે અને તેને ITCની સંસ્થાકીય શક્તિ દ્વારા પણ ટેકો મળશે.
જણાવી દઈએ કે ITCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 24 જુલાઈના રોજ તેની બેઠકમાં હોટેલ બિઝનેસને અલગ કરીને તેના માટે અલગ કંપની બનાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બાદમાં આ હોટેલ કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે.
ITC hotel demerger ની જાહેરાત બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ITCના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે શેર રૂ.464.55 પર બંધ રહ્યો હતો. શેરની કિંમત એક દિવસ પહેલાની સરખામણીમાં 1.60% ઘટી છે. આ બાદ શુક્રવારે શેર લીલા નિશાન ઉપર નજરે પડ્યો હતો. શુક્રવારે 28 જુલાઈ 2023 ના રોજ સવારે 9.30 વાગે શેર
24 જુલાઈ, 2023 ના રોજ, ITC લિમિટેડના બોર્ડે હોટલના વ્યવસાયને ડિમર્જ કરવા માટે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ પગલું લાંબા સમયથી અપેક્ષિત અને તેના રોકાણકારો દ્વારા અનુમાનિત હતું. જોકે, જાહેરાત બાદ શેરના ભાવમાં લગભગ 4% અને અન્ય 3%નો ઘટાડો થયો હતો પણ શુક્રવારે રોનક પરત ફરી હતી. નવી એન્ટિટીમાં, ITC 40 ટકા ઇક્વિટી સીધો જ ધરાવે છે જ્યારે બાકીની 60 ટકા કંપનીના શેરધારકોની માલિકીની રહેશે.
ITC પાસે 70 થી વધુ સ્થાનો પર 120 થી વધુ હોટેલ્સ અને 11,600 રૂમ છે અને તે ટાટા ગ્રૂપની ઇન્ડિયન હોટેલ્સ કંપની સાથે સ્પર્ધા કરે છે. છેલ્લા દાયકામાં બિઝનેસે ITCની આવક અને વ્યાજ અને કર પહેલાંની કમાણીમાં 5% કરતા ઓછો ફાળો આપ્યો છે, જેફરીઝના વિશ્લેષકોએ તાજેતરમાં નોંધ્યું હતું. કે તે મૂડી ખર્ચના 20% થી વધુ હિસ્સો ધરાવે છે.