Surat Industries: આંશિક અનલોકમાં(Unlock) ગુજરાત સરકારે નાના મોટા તમામ વેપાર ધંધાઓને બપોરે 3 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપતા જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. પરંતુ સુરતના બે પાયાના ઉધોગ ડાયમંડ ઉધોગ(Diamond Industry) અને ટેકસટાઇલ ઉધોગને(Textile Industry) શરૂ કરવા માટે બે ધારાધોરણો દેખાઈ આવે છે.
સુરતમાં ટેકસટાઇલ ઉધોગ બપોરે 3 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે ડાયમંડ ઉધોગો રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહે છે. ત્યારે વ્યાપારી પ્રગતિ સંઘ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને(CM) પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં હીરાના કારખાનાની જેમ ટેક્સટાઇલ માર્કેટને પણ રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલનો વેપાર પુરા વિશ્વમાં થાય છે. સુરત થી અનેક દેશોમાં કાપડનું એક્સપોર્ટ(Export) થાય છે. દેશમાં જેટલું કાપડ બને છે તેમાંથી 70% કાપડ સુરત બને છે.
સુરત ગુજરાત આર્થિક રાજધાની છે. સુરતના કાપડ માર્કેટમાં 15 લાખ કર્મચારીઓ રોજગારી મેળવે છે. જેથી સુરતના કાપડ માર્કેટ ને ડાયમંડ માર્કેટની જેમ રાતે આઠ વાગ્યા સુધી ચાલુ રાખવાની પરવાનગી માંગવામાં આવી છે.
વેપારી પ્રગતિ સંઘના પ્રમુખ સંજય જગનાની જણાવે છે કે હાલ કાપડ માર્કેટમાં નિરાશાનો માહોલ છે. જો સમય વધારવામાં નહિ આવે તો કાપડ વેપારીઓ અને મોટું નુકસાન થવાની શક્યતા છે. અને એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરીને ટેક્સટાઇલ માર્કેટનો સમય વધારવા માંગણી કરવામાં આવી છે
Published On - 2:49 pm, Thu, 27 May 21