AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થશે આ ખાસ બિલ, બેરોજગાર યુવાનોને મહિને 5 હજાર રૂપિયા આપવાની ભલામણ

શિવસેના ધારાસભ્યએ કહ્યું કે દેશમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. દર વર્ષે 1.60 કરોડથી વધુ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ મુશ્કેલીથી 15થી 20 લાખ લોકોને રોજગાર મળે છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થશે આ ખાસ બિલ, બેરોજગાર યુવાનોને મહિને 5 હજાર રૂપિયા આપવાની ભલામણ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:36 PM
Share

શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ અબિટકર (Shivsena MLA Prakash Abitkar) મહારાષ્ટ્ર વિધાનસભામાં ખાનગી સભ્ય બિલ રજૂ કરશે. આ બિલમાં રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવાની ભલામણ કરવામાં આવી છે. બિલમાં બેરોજગાર યુવાનોની (Employed Youth) વ્યાખ્યા કરવામાં આવી છે અને ભથ્થા યોજના સાથે આગળ વધવા માટે સંગઠનાત્મક માળખું પણ સૂચવવામાં આવ્યું છે. 

શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ અબિટકરે મીડિયાને જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષોએ 2019ની ચૂંટણી માટે તેમના મેનિફેસ્ટોમાં બેરોજગારી ભથ્થાનું વચન આપ્યું હતું. એટલા માટે તેઓ કંઈ અલગ નથી કરી રહ્યા, તેઓ માત્ર આ મુદ્દાને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મુદ્દો આજના સમયમાં સૌથી વધુ દબાણ બનાવનારો ​​મુદ્દો છે.

પ્રાઈવેટ મેમ્બર બિલમાં (Private Member Bill) બેરોજગાર વ્યક્તિને મહારાષ્ટ્રના રહેવાસી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે અને કામ કરવા માંગે છે. પરંતુ તેની પાસે કોઈ નોકરી નથી. બિલમાં કહેવામાં આવ્યું છે કે બેરોજગારી ભથ્થા માટે પાત્ર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

એવું પણ કહેવામાં આવ્યું છે કે પાત્ર વ્યક્તિએ મહારાષ્ટ્ર રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ. જો નોંધણીના ત્રણ મહિના પછી પણ કોઈ રોજગાર ઉપલબ્ધ ન હોય તો તે વ્યક્તિ રોજગાર ભથ્થા માટે પાત્ર છે. પાત્ર વ્યક્તિની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મી પાસ હોવી જોઈએ. તેમજ તેના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ.

રાજ્યના રોજગાર અને સ્વ-રોજગાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે બેરોજગારી ભથ્થાની યોજના

વિધાનસભામાં રજૂ થનારા બિલ મુજબ રાજ્યના રોજગાર અને સ્વ-રોજગાર વિભાગ દ્વારા બેરોજગારી ભથ્થાની યોજના તૈયાર કરવામાં આવશે. દરેક જિલ્લા મુખ્યાલય પર રાજ્ય સ્તરનું કેન્દ્ર હશે. દરેક તાલુકામાં પેટા શાખા હશે. શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ અબિટકરે કહ્યું કે મહારાષ્ટ્રમાં રોજગાર કચેરીઓમાં લગભગ 45 લાખ લોકો નોંધાયેલા છે. તેમણે કહ્યું કે જે લોકો નોંધાયેલા નથી તેમની સંખ્યા કરોડોમાં છે.

‘નોકરીની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે’

શિવસેના ધારાસભ્યએ કહ્યું કે દેશમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. દર વર્ષે 1.60 કરોડથી વધુ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ મુશ્કેલીથી 15થી 20 લાખ લોકોને રોજગાર મળે છે. તેમણે કહ્યું કે જો યુવાનોને રોજગાર ન મળે તો યુવાનો ગુનાહિત પ્રવૃતિ તરફ આગળ વધવા લાગે છે. એટલા માટે એ જરૂરી છે કે જ્યાં સુધી તેઓને નોકરી ન મળે ત્યાં સુધી તેમને અમુક રકમ આપવામાં આવે.

આ પણ વાંચો :  મહિલાઓના સન્માનને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરવાનગી વગર મહિલાને સ્પર્શ કરવો ગુનો

Follow Us
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
g clip-path="url(#clip0_868_265)">