Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1,111.41 પોઈન્ટ્સ અથવા 1.83 ટકાના ઘટાડા સાથે 59,575.28 પર બંધ થયો હતો.

Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
| Edited By: | Updated on: Nov 22, 2021 | 6:32 AM

ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે 18 નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIનું વેચાણ વધુ રહ્યું હતું. આ દરમ્યાન ભારતીય બજાર લગભગ 2 ટકા તૂટ્યું હતું. BSE સેન્સેક્સ 1,111.41 પોઈન્ટ્સ અથવા 1.83 ટકાના ઘટાડા સાથે 59,575.28 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 337.95 પોઈન્ટ અથવા 1.86 ટકાના ઘટાડા સાથે 17,764.8 પર બંધ રહ્યો હતો.

મેટલ્સ, એનર્જી, રિયલ્ટી,PSU બેન્કમાં માં વેચવાલીએ નિફ્ટીને 18,000ની નીચે ધકેલી દીધો જ્યારે સેન્સેક્સ 60,000ની નીચે લપસતો જોવા મળ્યો હતો. મોટા શેરોની જેમ સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ છેલ્લા સપ્તાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન BSE મિડકેપ ઈન્ડેક્સ 1.7 ટકા તૂટ્યો જ્યારે સ્મોલકેપ 1.5 ટકા ઘટીને બંધ થયો.

શું છે આ સપ્તાહના અનુમાન
સેમકો સિક્યોરિટીઝના એશા શાહ કહે છે કે કંપનીઓના પરિણામોની સિઝન પૂરી થઈ ગઈ હોવાથી હવે ભારતીય બજારોની નજર વિદેશી પરિબળો પર રહેશે. કોઈપણ હકારાત્મક ટ્રિગરની ગેરહાજરીમાં સેન્સેક્સ-નિફ્ટી દબાણ હેઠળ રહેવાની ધારણા છે. આ સમયે બજાર દરેક બાઉન્સમાં વેચવાલી કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આગામી સપ્તાહમાં કેટલાક શેરોમાં એક્શન જોવા મળશે. બજાર વૈશ્વિક મેક્રો ડેટા પર નજર રાખશે. આ સિવાય FIIની કાર્યવાહી પણ બજાર પર તેની અસર બતાવશે. આને ધ્યાનમાં રાખીને વલણને વધુ આક્રમક રીતે ન લેવાની સલાહ આપવામાં આવશે

LKP સિક્યોરિટીઝના રોહિત સિંગરે કહે છે કે નિફ્ટી ગયા અઠવાડિયે લગભગ 2 ટકાના ઘટાડા સાથે 17746 ના સ્તરે બંધ થયો હતો અને તેણે સાપ્તાહિક ચાર્ટ પર મંદી દેખાડી હતી જે બજારમાં નબળાઈનો સંકેત છે. હવે નિફ્ટી માટે આગામી સપોર્ટ 17600ના ઝોનમાં જોવા મળી રહ્યો છે.

જો નિફ્ટી આ સ્તરથી ઉપર રહે તો આપણે તેમાં સારો પુલબેક જોઈ શકીએ છીએ અને નિફ્ટી ફરી એકવાર 18000ના સ્તરને સ્પર્શી શકે છે પરંતુ જો તેમ ન થાય તો નિફ્ટી આપણને વધુ લપસતા જોઈ શકે છે જેના કારણે તે 17300ની સપાટી જોઈ શકે છે.17000નું સ્તર પણ શક્ય છે. ઉપરોક્ત માટે 17830-17940 ના ઝોનમાં અવરોધ દેખાય છે જ્યારે આ સ્તરે પહોંચે છે તો પ્રોફિટ બુકીંગ કરી શકાય છે.

 

આ પણ વાંચો : SBIએ જન ધન ખાતાધારકોને હજુ સુધી પરત નથી કર્યા ખોટી રીતે વસૂલ કરાયેલા 164 કરોડ રૂપિયા: રિપોર્ટ

આ પણ વાંચો : નિવૃતિ માટે NPSને કેમ માનવામાં આવે છે બેસ્ટ સ્કીમ? આ છે મુખ્ય કારણો અને રોકાણ શરૂ કરતા પહેલા આ બાબતો જાણી લો

Follow Us