Rules changed for LIC: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICએ તેના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે હવે LIC માટે દર શનિવારે જાહેર રજા ગણવામાં આવશે. એટલે કે, દરેક શનિવારે એલઆઈસી (Public Holiday every saturday for LIC)માટે રજા રહેશે. સરકારે આ ફેરફાર નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 ની કલમ 25 હેઠળ મળેલી પાવરના આધારે કર્યો છે.
આનો અર્થ એ કે જો તમારે એલ.આઈ.સી. ઓફિસ જવું હોય અને થોડું કામ કરવુ હોય તો તમારે ફક્ત સોમવાર અને શુક્રવારની વચ્ચે જ જવું પડશે કારણ કે શનિવાર અને રવિવારની રજા હશે.અઠવાડિયામાં બે દિવસ હવે ઓફિસ બંધ રહેશે. જો તમે પણ LICના ગ્રાહક છો અને એલઆઈસીની ઓફિસમાં જઈને થોડુંક કામ કરાવવા માંગતા હો તો બદલાવ પ્રમાણે તમારે તમારું પ્લાનિંગ કરવું પડશે.
LIC કર્મચારીઓની 1 ઓગસ્ટ, 2017 થી વેતન સુધારણા બાકી છે. LICના કર્મચારીઓ માટે વેતન સુધારણાની માંગ વચ્ચે અઠવાડિયામાં વધારાની રજા કોઈ સારા સમાચારથી ઓછી નથી. યુનિયનના નેતાએ કહ્યું કે LICના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વેજ રિવીઝન આટલું લાંબું ચાલ્યું છે. યુનિયનના નેતાઓ સાથે બેઠક બાદ મેનેજમેન્ટની અંતિમ દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે અને નાણાં મંત્રાલય જાહેરનામું બહાર પાડતા પહેલા ફેરફાર કરી શકે છે.
Published On - 10:23 am, Fri, 16 April 21