PM Kisan Scheme : આંઠમાં હપ્તામાં આ લોકોના ખાતામાં પૈસા જમા થશે નહીં, આ સરળ સ્ટેપથી જાણો તમને લાભ મળશે કે નહિ

|

May 08, 2021 | 6:10 PM

ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme) ના આઠમા હપ્તાની રકમ ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.

PM Kisan Scheme : આંઠમાં હપ્તામાં આ લોકોના ખાતામાં પૈસા જમા થશે નહીં, આ સરળ સ્ટેપથી જાણો તમને લાભ મળશે કે નહિ
ફાઇલ ફોટો

Follow us on

ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme) ના આઠમા હપ્તાની રકમ ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. પરંતુ શું તમે જાણો છો કે દસ્તાવેજો અને વિગતોની સામાન્ય નાની ભૂલથી પણ તમારા પૈસા અટવાઈ શકે છે. આ માટે જરૂરી છે કે આવી ભૂલોને જાતે સુધારો અથવા તમે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને સુધારો કરાવી શકો છો

 

આ લોકોના ખાતામાં નહીં જમા નહીં થાય
>> લાભાર્થી તરીકેની અરજીમાં આધાર નંબર ખોટો કે તેમાં ભૂલ હશે તો પૈસા મળશે નહિ
>> હવે એપ્લિકેશન ફોર્મમાં જમીનનો પ્લોટ નંબર પણ જણાવવાનો રહે છે. જો કે જુના લાભાર્થીઓ પાર આ નિયમનો પ્રભાવ પડશે નહિ
>> ફંડના ટ્રાંસફરના લાભ ત્યારે જ મળે છે જયારે પ્રમાણિત ડેટા રાજ્ય સરકાર કેન્દ્રને મોકલે છે.ચૂક થાય તો લાભ નહીં મળે.
>> આ યોજનાના લાભાર્થી ખેડુતના નામે જમીન હોવી જરૂરી છે.
>> જો કોઈ ખેડૂત ખેતી કરે છે પરંતુ તેના નામે ખેતર નથી અને તે પિતા કે દાદા ના નામે છે, તો તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળતો નથી.
>> દશ હજારથી વધુ પેંશન મેળવનારને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જાતે ભૂલ સુધારી શો છો
>> કિસાન farmers corner ની મુલાકાત લઈને સુધારો કરી શકે છે. તમે તેને સામાન્ય સેવા કેન્દ્ર (CSC) પર પણ સુધારી શકો છો.
>> પીએમ કિસાન પોર્ટલ પર એક વિશિષ્ટ farmers corner આપવામાં આવ્યું છે. આધારકાર્ડ પરના નામ અનુસાર ખેડૂત પોતાનું નામ બદલી શકે છે.
>> કિસાન ભાઈ યોજના pmkisan.gov.in ની વેબસાઇટની મુલાકાત લઈને ફાર્મર કોર્નર ખોલી શકે છે
>> આધાર નંબર સુધારવા માટે edit Adhar Failure Record પર ક્લિક કરો. અહીં તમે જાતે આધાર નંબર દાખલ કરી શકો છો.

 

યાદીમાં તમારું નામ તપાસો
1. પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.inની મુલાકાત લેવી પડશે.
2. તેના હોમપેજ પર તમને farmers corner વિકલ્પ દેખાશે.
3. ફાર્મર્સ કોર્નર વિભાગમાં તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરવાની રહેશે.
5. આગળ તમારે Get Reportપર ક્લિક કરવું પડશે. હવે લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

Next Article