PM Awas Yojna: સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ , રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં

|

Mar 31, 2021 | 8:32 AM

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે માત્ર આજનો સમય છે.

PM Awas Yojna: સસ્તું ઘર ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ , રૂપિયા 2.67 લાખ નો લાભ કઈ રીતે મળશે ? જાણો અહેવાલમાં
Symbolic Image

Follow us on

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojna) અંતર્ગત ઘર ખરીદનારાઓને મળતી સબસિડીની યોજના હવે પૂર્ણ થવાના આરે છે. જો તમે પણ આ યોજના અંતર્ગત 2.67 લાખ રૂપિયા લાભ લેવા માંગતા હો તો તમારી પાસે માત્ર આજનો સમય છે. હકીકતમાં આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઘર ખરીદનારાઓને રૂપિયા 2.67 લાખની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ આવતીકાલથી મળશે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભારતના કોઈપણ શહેરમાં મકાન ખરીદવા માટે આ સબસિડી આપવામાં આવે છે. આ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો હેતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સસ્તા મકાનો પૂરા પાડવાનો છે. આ અંતર્ગત પ્રથમ વખત ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. મતલબ કે જો તમે લોન પર ઘર ખરીદી રહ્યા છો તો હોમ લોન પર સબસિડી મળે છે.

કમાણીના આધારે સબસિડી મળે છે
જેઓ વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તેઓને આ યોજનાનો લાભ મળે છે. જો તમારી આવક વાર્ષિક 6 લાખ રૂપિયા સુધીની છે તો તમને ક્રેડિટ લિંક્ડ સબસિડી 6.5 ટકા મળશે. જો આવક 12 લાખ રૂપિયા સુધી છે તો 4 ટકા સબસિડી અને વાર્ષિક 18 લાખ કમાતા લોકોને 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% ની સબસિડી આપવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોને મળશે લાભ ?
આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલીક શરતો આપવામાં આવી છે. સૌ પ્રથમ જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેના નામે કોઈ ઘર ન હોવું જોઈએ. બીજી બાજુ જો તમે પહેલાથી સબસિડી લઈ રહ્યા છો, તો તમને અન્ય હોમ લોન પર સબસિડી નહીં મળે. જો તમે પરિણીત દંપતી છો તો પછી તમે સંયુક્ત હોમ લોન પર સબસિડી લઈ શકો છો પરંતુ માત્ર એક જ સબસિડી મળશે.

કયા દસ્તાવેજની જરૂર પડશે?
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે ઓળખ પુરાવા તરીકે પાનકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. એડ્રેસ પ્રૂફ તરીકે તમારી પાસે મતદાર ઓળખકાર્ડ હોવું જોઈએ અથવા તમારી પાસે સરનામું દર્શાવતો કોઈ પુરાવો જરૂરી છે. ઇન્કમ પ્રુફ તરીકે તમારે 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ બતાવવું પડશે. જે સંપત્તિ માટે તમે લોન લઈ રહ્યા છો તેમાં સેલ્સ ડીડ, નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે.

Published On - 8:04 am, Wed, 31 March 21

Next Article