PM Awas Yojana : સપનાના ઘરના નિર્માણ માટેની સહાય યોજનાની મુદત બે વર્ષ માટે લંબાવવામાં આવી, કોણ કરી શકે છે અરજી?

|

Aug 13, 2022 | 7:04 AM

આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે.

PM Awas Yojana : સપનાના ઘરના નિર્માણ માટેની સહાય યોજનાની મુદત બે વર્ષ માટે લંબાવવામાં આવી, કોણ કરી શકે છે અરજી?
Pradhan Mantri Awas Yojana – Urban (PMAY-U)

Follow us on

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U)નો સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો છે. હવે આ યોજના 31 ડિસેમ્બર, 2024 સુધી લાગુ રહેશે. આમાં 31 માર્ચ, 2022 સુધીમાં મંજૂર થયેલા 122.69 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાયનો પણ સમાવેશ થાય છે. દેશના તમામ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ સરકારી નિવેદન અનુસાર ઓરીજીનલ પ્રોજેક્ટ ડિમાન્ડ અનુસાર 102 લાખ મકાનોના નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પૈકી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી 40 લાખ મકાનોની દરખાસ્તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોડી પ્રાપ્ત થઈ હતી જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી

આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

યોજનાનો લાભ કોને મળી શકે ?

3 લાખથી 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ, અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ. 18 લાખથી વધુની કમાણી કરતી વ્યક્તિઓ જેમની પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાન છે અથવા જેમને ભૂતકાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી.

આ દસ્તાવેજો જરૂરી પડશે

  • ઓળખ પત્ર: PAN કાર્ડ, મતદાર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, સરકાર દ્વારા ઈશ્યુ કરાયેલ કોઈપણ ફોટો આઈડી કાર્ડ, માન્યતાપ્રાપ્ત અધિકારી અથવા જાહેર સેવક પાસેથી ફોટોગ્રાફ સાથેનો કોઈપણ પત્ર.
  • સરનામાનો પુરાવો: મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીમો, રહેઠાણનું સરનામું પ્રમાણપત્ર, સ્ટેમ્પ પેપર પરનું ભાડું કરાર અથવા બેંક પાસબુક પર લખેલું સરનામું.
  • આવકનો પુરાવો: છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ITRની રસીદ, છેલ્લા 2 મહિનાની સેલરી સ્લીપ
  • મિલકતનો પુરાવો: વેચાણ ડીડ, વેચાણ/ખરીદી કરાર, મિલકત નોંધણી પ્રમાણપત્ર, જો ઉપલબ્ધ હોય તો, ચુકવણીની રસીદ.
Next Article