Petrol – Diesel પર ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર! જાણો શું છે કારણ

ઓક્ટોબર પહેલાના પ્રથમ ત્રણ મહિના (જુલાઈથી સપ્ટેમ્બર, 2021)ની સ્થિતિ જોવામાં આવે તો GSTમાં આ વધારો અનુક્રમે 33 ટકા, 30 ટકા અને 23 ટકા થયો છે. અન્ય કરની વસૂલાત પણ તાજેતરમાં સારી રહી છે.

Petrol - Diesel પર ટેક્સ ઘટાડવાં છતાં સરકારી તિજોરી પર નહીં પડે અસર! જાણો શું છે કારણ
File Image of Petrol Pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:12 AM

પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અને પછી 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વેટના દરોમાં ઘટાડો કરવા છતાં તેમના તિજોરી પર કોઈ વિપરીત અસર થવાની નથી. તેનું કારણ એ છે કે કોરોના મહામારી પછી જે રીતે અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે તેનાથી આવકની વાસ્તવિક સ્થિતિ વધુ સારી રહેવાની આશા છે. આ ઘટાડા છતાં આખા વર્ષ માટે પેટ્રોલિયમ પેદાશોમાંથી કુલ આવકનો અંદાજ પણ કેન્દ્રની અપેક્ષાઓ આસપાસ રહેશે.

લોકોને રાહત આપવાનો સમય નાણા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે 1 નવેમ્બરના રોજ જીએસટી કલેક્શનના ડેટા બહાર આવ્યા બાદ જ એ વાત પર સહમતિ બની હતી કે હવે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ડ્યૂટીમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપવાનો સમય આવી ગયો છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનની રકમ રૂ 1.30 લાખ કરોડથી વધુ હતી જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 24 ટકા વધુ હતી અને વર્ષ 2019ના સમાન મહિનાની સરખામણીમાં 36 ટકા વધુ હતી.

વધુ સારી કર વસૂલાત એટલું જ નહીં જો ઓક્ટોબર પહેલાના પ્રથમ ત્રણ મહિના (જુલાઈથી સપ્ટેમ્બર, 2021)ની સ્થિતિ જોવામાં આવે તો GSTમાં આ વધારો અનુક્રમે 33 ટકા, 30 ટકા અને 23 ટકા થયો છે. અન્ય કરની વસૂલાત પણ તાજેતરમાં સારી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એકંદર કર વસૂલાત ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 100.80 ટકા વધુ અને વર્ષ 2019-20ના પ્રથમ અર્ધવાર્ષિક કરતાં 51.57 ટકા વધુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કારણોસર વિપરીત અસર નહિ પડે

  • અપેક્ષા કરતા વધુ સારા GST કલેક્શનને કારણે પરિસ્થિતિ એકદમ સંતોષજનક છે.
  • પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેલ ઉત્પાદનોમાંથી રેવન્યુ કલેક્શનમાં 33 ટકાનો વધારો થયો છે
  • પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કસ્ટમ ડ્યુટી વસૂલાતમાં 130 ટકા વૃદ્ધિ
  • કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 105 ટકાનો વધારો
  • સરકારની અપેક્ષા કરતાં જીએસટી કલેક્શન સતત સારું રહ્યું છે

આ વેરા પણ વધ્યા કસ્ટમ્સ કલેક્શનમાં 129.64 ટકા અને કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 105.14 ટકાનો વધારો થયો છે. જો આપણે માત્ર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી રેવન્યુ કલેક્શનની વાત કરીએ તો તે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં રૂ 1.71 લાખ કરોડ રહી છે. આ રકમ પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ 1.28 લાખ કરોડની સરખામણીએ 33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2020-21માં, કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી તરીકે રૂ 3.89 લાખ કરોડ એકત્ર કર્યા હતા.

45 હજાર કરોડની રાહત ખાનગી સંશોધન એજન્સીઓના અહેવાલો કહે છે કે કેન્દ્ર દ્વારા પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી આગામી પાંચ મહિનામાં કુલ આવકમાં 45,000 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

પેટ્રોલ ડીઝલનું વેચાણ વધ્યું છે જો કે બીજી તરફ, નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ વર્ષે સરકાર કેન્દ્ર દ્વારા એકત્રિત કર અને ફીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 6,65,563 કરોડ રૂપિયા આપશે.

આ પણ વાંચો :  મળી ગયો શેરબજારમાં સફળતાંનો મંત્ર! Rakesh Jhunjhunwala એ નવા વર્ષ માટે આપી Investment Tips, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં વેચાય છે? તમારા શહેર સહીત મહાનગરોના 1 લીટર ઇંધણના રેટ

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">