જો તમે તમારા પ્રોવિડન્ટ ફંડ ખાતામાંથી પૈસા ઉપાડવા માંગો છો, તો તમારે સૌથી પહેલા તમારા PF ખાતામાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપડેટ કરવા પડશે, નહીંતર તમને પ્રોવિડન્ટ ફંડના નાણાં ઉપાડવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતામાં જમા રકમ સરળતાથી આંશિક અથવા સંપૂર્ણ રીતે ઉપાડી શકાય છે. તેને PF ઉપાડ કહેવામાં આવે છે. કર્મચારી નોકરીમાંથી નિવૃત્તિ મેળવે અથવા સતત 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહે છે તો આ કિસ્સાઓમાં EPFની રકમ ઉપાડી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન, મેડિકલ ઈમરજન્સી, હોમ લોન પેમેન્ટ જેવા સંજોગોમાં પણ આ ફંડમાં જમા રકમનો અમુક ભાગ અમુક શરતો અનુસાર ઉપા માટે પરવાનગી મળે છે. જો તમે નિવૃત્તિ પહેલા પીએફના પૈસા ઉપાડવા માંગતા હોય તો તેના કેટલાક દસ્તાવેજો જરૂરી છે. આ દસ્તાવેજોની મદદથી પીએફના પૈસા ઉપાડી શકાય છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા બચત કાર્યક્રમોમાંનો એક એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ અથવા EPF છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સ્થાપના વર્ષ 1951માં કરવામાં આવી હતી. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. શ્રમ મંત્રાલય ભારતમાં EPF કાર્યક્રમોનું નિયમન કરે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ બચત યોજનાનું સંચાલન કરે છે. તેને EPFO પણ કહી શકાય.
જો કોઈ કર્મચારી 5 વર્ષ સતત નોકરી કરતા પહેલા તેની પીએફની રકમ ઉપાડી લે છે. તેથી તે દર વર્ષે પીએફ ખાતામાં જમા કરવામાં આવતી સંપૂર્ણ રકમના વિગતવાર વિભાજનને સાબિત કરવા માટે આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ 2 અને 3 ભરવા માટે જવાબદાર રહેશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા રચાયેલી સમિતિએ જણાવ્યું હતું કે EPFO સભ્યો સ્વેચ્છાએ ઉચ્ચ યોગદાન માટે પસંદગી કરી શકે છે અને ઉચ્ચ પેન્શન માટે મોટી રકમ જમા કરી શકે છે. હાલમાં, 20 થી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓમાં દર મહિને 15,000 રૂપિયા સુધીની કમાણી કરતા કામદારો માટે EPF ફાળો ફરજિયાત છે. દરેક કર્મચારી EPF યોજનામાં તેના મૂળ પગારના 12% ફાળો આપે છે.
Published On - 7:22 am, Tue, 13 December 22