સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ(SBI) એટીએમ ફ્રોડના મામલાઓ ઉપર નિયંત્રણ મેળવવા મહત્વનો નિર્ણય લીધો છે. SBIના ગ્રાહકોએ એટીએમમાંથી(ATM) ૧૦ હજારથી વધુ રકમ ઉપાડવાની પ્રક્રિયામાં હવે ઓટીપી (OTP) આપવો પડશે.
અત્યાર સુધી નાઈટ ફીચર રહેલા ઓટીપીને 18 સપ્ટેમ્બરથી 24×7 લાગુ કરવા બેંક તૈયારી કરી રહી છે. બેંકમાં નોંધાયેલા ગ્રાહકના મોબાઇલ નંબર પર ઓટીપી પ્રાપ્ત થશે. આ પગલું સ્ટેટ બેંક કાર્ડ ધારકોને અનધિકૃત એટીએમ રોકડ ઉપાડથી સુરક્ષિત કરે છે. એસબીઆઈ ડેબિટ કાર્ડધારક છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે. એટીએમ મશીનમાં કાર્ડ ઈન્સર્ટ કર્યા બાદ ઓટીપી દાખલ કરાશે તો જ સિસ્ટમ આગળની પ્રક્રિયા કરશે અન્યથા પ્રક્રિયાને રદ કરી નાખવામાં આવશે.
અહેવાલો અનુસાર ઓટીપી આધારિત રોકડ ઉપાડ સુવિધા માત્ર એસબીઆઈ એટીએમમાં જ ઉપલબ્ધ છે. નોન-એસબીઆઇ એટીએમમાં નેશનલ ફાઇનાન્શિયલ સ્વીચ સર્વિસને વિકાસિત કરવામાં આવી નથી.