
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એક રિટાયરમેન્ટ યોજના છે. આનું મેનેજમેન્ટ ‘પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી’ (PFRDA) દ્વારા કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર ન્યૂનતમ યોગદાન (Minimum Contribution) ન આપવા બદલ NPS એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. એવામાં ચાલો જાણીએ કે, આ એકાઉન્ટને ‘અનફ્રીઝ’ કઈ રીતે કરી શકાય…
સરળ રીતે સમજીએ તો, જ્યારે તમે નાણાકીય વર્ષમાં તમારા NPS એકાઉન્ટમાં ઓછામાં ઓછા ₹1,000 નું યોગદાન (Contribution) આપતા નથી, ત્યારે તમારું PRAN (Permanent Retirement Account Number) ઈન-એક્ટિવ થઈ જાય છે અને ખાતું ફ્રીઝ થઈ જાય છે.
એકાઉન્ટ ફ્રીઝ થવાનો અર્થ એ છે કે, તમારા ખાતામાં થોડા સમય માટે કોઈ ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. ટૂંકમાં, જ્યાં સુધી તમે આ સમસ્યાનો ઉકેલ ન લાવો ત્યાં સુધી એકાઉન્ટ ફ્રીઝ રહે છે.
NPS એકાઉન્ટને અનફ્રીઝ કરવાનું કારણ સમજવું મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા ઓનલાઈન (eNPS) અથવા ઓફલાઈન (PoP) બંને રીતે કરી શકાય છે.
જણાવી દઈએ કે, તમે ‘ફ્રીઝ’ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકતા નથી. ખાતું ‘અનફ્રીઝ’ કર્યા પછી જ યોગદાન અથવા ઉપાડ (Contribution or Withdrawal) સહિતની ટ્રાન્ઝેક્શન શક્ય બને છે.
NPS એક સુરક્ષિત રિટાયરમેન્ટ યોજના છે, જે ઓછી કિંમત, પોર્ટેબિલિટી, ટેક્સ લાભ અને નિયમિત બચતની સુવિધા આપે છે. જો તમારું ખાતું ફ્રીઝ થઈ ગયું હોય, તો ગભરાવાની કોઈ જરૂર નથી.
ઉપર દર્શાવેલ પગલાંઓનું પાલન કરીને તેને સરળતાથી ફરીથી એક્ટિવ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો, સમયસર ન્યૂનતમ યોગદાન આપીને અને તમારા KYC ને અપ-ટૂ-ડેટ રાખીને કોઈપણ મુશ્કેલી વિના તમારા NPS એકાઉન્ટના લાભ લઈ શકો છો.
Published On - 4:55 pm, Tue, 25 November 25