AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી

મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે.

છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી
Rooftop Solar Panel (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:31 PM
Share

નવી અને રીન્યુએબલ ઉર્જા મંત્રાલયે (Ministry of New & Renewable Energy) સ્પષ્ટતા કરી કે તેણે રૂફટોપ સોલાર પેનલ્સ (Rooftop Solar Panel) ઇન્સ્ટોલ કરવા માટે કોઈપણ વિક્રેતા અથવા સપ્લાયરને અધિકૃત કર્યા નથી. મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે. ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સ્કીમના બીજા તબક્કામાં છત પર સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે.

આ સાથે મંત્રાલયે ગ્રાહકોને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (Discoms) દ્વારા નક્કી કરેલા દરો પર જ ચૂકવણી કરવાની સલાહ પણ આપી છે. વિતરણ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયા દ્વારા વિક્રેતાઓને તેમની પેનલમાં જોડે છે અને રૂફટોપ સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટેના દરો પણ નક્કી કરે છે.

સરકાર સબસિડી આપે છે

રૂફટોપ સોલાર પ્લાન (Rooftop Solar Plan) હેઠળ, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પ્રથમ 3 કિલોવોટ વીજળી પર 40 ટકા સબસિડી આપે છે અને 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સબસિડીનો દર 20 ટકા છે. આ યોજના રાજ્યોમાં સ્થાનિક વીજળી વિતરણ કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે.

મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવ્યું છે કે કેટલીક રૂફટોપ સોલર કંપનીઓ પોતાને મંત્રાલયના અધિકૃત વિક્રેતાઓ તરીકે ઓળખાવીને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી રહી છે. એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે મંત્રાલયે આ માટે કોઈ વેન્ડરને અધિકૃત કર્યા નથી. રાજ્યોમાં આ યોજનાને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ લાગુ કરી રહી છે. તેઓએ ટેન્ડરો દ્વારા વિક્રેતાઓને જોડ્યા છે અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશનનો દર પણ નક્કી કર્યો છે.

આવી રીતે કરી શકાય છે અરજી 

જેઓ તેમના ઘરો અથવા સંસ્થાઓની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને પેનલમાં સામેલ વેન્ડર પેનલ ઇન્સ્ટોલ કરશે. આ પ્રક્રિયા વિશેની માહિતી સંબંધિત વિતરણ કંપનીઓના પોર્ટલ પરથી મેળવી શકાય છે.

મંત્રાલયે એ હકીકતની પણ નોંધ લીધી છે કે કેટલાક વિક્રેતાઓ સ્થાનિક ગ્રાહકો પાસેથી વિતરણ કંપનીઓ દ્વારા નિર્ધારિત દરો કરતાં વધુ ચાર્જ વસૂલી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે વિતરણ કંપનીઓને આવા વિક્રેતાઓની ઓળખ કરવા અને તેમને સજા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સિવાય MNRE એ PM કુસુમ યોજનાને લઈને સામાન્ય લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. લાભાર્થીઓને ચેતવણી આપતી વખતે, તેમને નકલી વેબસાઇટ્સ પર ફી જમા ન કરવા માટે કહેવામાં આવ્યું છે. સહભાગિતા અને અમલીકરણ પ્રક્રિયા માટેની પાત્રતા વિશેની માહિતી www.mnre.gov.in પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">