છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી

મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે.

છત પર લગાવવા જઈ રહ્યા છો સોલર પેનલ, તો થઈ જાઓ સાવધાન ! સરકારે જાહેર કરી આ ચેતવણી
Rooftop Solar Panel (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:31 PM

નવી અને રીન્યુએબલ ઉર્જા મંત્રાલયે (Ministry of New & Renewable Energy) સ્પષ્ટતા કરી કે તેણે રૂફટોપ સોલાર પેનલ્સ (Rooftop Solar Panel) ઇન્સ્ટોલ કરવા માટે કોઈપણ વિક્રેતા અથવા સપ્લાયરને અધિકૃત કર્યા નથી. મંત્રાલયની આ સ્પષ્ટતા એવા અહેવાલો સામે આવ્યા પછી આવી છે કે કેટલાક વિક્રેતાઓ (વિક્રેતા અથવા સપ્લાયર્સ) પોતાને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે મંત્રાલય દ્વારા અધિકૃત હોવાનો દાવો કરી રહ્યા છે. ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર સ્કીમના બીજા તબક્કામાં છત પર સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે.

આ સાથે મંત્રાલયે ગ્રાહકોને પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (Discoms) દ્વારા નક્કી કરેલા દરો પર જ ચૂકવણી કરવાની સલાહ પણ આપી છે. વિતરણ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયા દ્વારા વિક્રેતાઓને તેમની પેનલમાં જોડે છે અને રૂફટોપ સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટેના દરો પણ નક્કી કરે છે.

સરકાર સબસિડી આપે છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રૂફટોપ સોલાર પ્લાન (Rooftop Solar Plan) હેઠળ, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય પ્રથમ 3 કિલોવોટ વીજળી પર 40 ટકા સબસિડી આપે છે અને 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધીની સબસિડીનો દર 20 ટકા છે. આ યોજના રાજ્યોમાં સ્થાનિક વીજળી વિતરણ કંપનીઓ દ્વારા લાગુ કરવામાં આવી રહી છે.

મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાને આવ્યું છે કે કેટલીક રૂફટોપ સોલર કંપનીઓ પોતાને મંત્રાલયના અધિકૃત વિક્રેતાઓ તરીકે ઓળખાવીને છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી રહી છે. એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે મંત્રાલયે આ માટે કોઈ વેન્ડરને અધિકૃત કર્યા નથી. રાજ્યોમાં આ યોજનાને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ લાગુ કરી રહી છે. તેઓએ ટેન્ડરો દ્વારા વિક્રેતાઓને જોડ્યા છે અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશનનો દર પણ નક્કી કર્યો છે.

આવી રીતે કરી શકાય છે અરજી 

જેઓ તેમના ઘરો અથવા સંસ્થાઓની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઇચ્છતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે અને પેનલમાં સામેલ વેન્ડર પેનલ ઇન્સ્ટોલ કરશે. આ પ્રક્રિયા વિશેની માહિતી સંબંધિત વિતરણ કંપનીઓના પોર્ટલ પરથી મેળવી શકાય છે.

મંત્રાલયે એ હકીકતની પણ નોંધ લીધી છે કે કેટલાક વિક્રેતાઓ સ્થાનિક ગ્રાહકો પાસેથી વિતરણ કંપનીઓ દ્વારા નિર્ધારિત દરો કરતાં વધુ ચાર્જ વસૂલી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે વિતરણ કંપનીઓને આવા વિક્રેતાઓની ઓળખ કરવા અને તેમને સજા કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ સિવાય MNRE એ PM કુસુમ યોજનાને લઈને સામાન્ય લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. લાભાર્થીઓને ચેતવણી આપતી વખતે, તેમને નકલી વેબસાઇટ્સ પર ફી જમા ન કરવા માટે કહેવામાં આવ્યું છે. સહભાગિતા અને અમલીકરણ પ્રક્રિયા માટેની પાત્રતા વિશેની માહિતી www.mnre.gov.in પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">