સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે

|

May 19, 2022 | 11:42 PM

વાસ્તવમાં ઉદ્યોગોના જણાવ્યા અનુસાર નિકાસ પર પ્રતિબંધના કારણે સ્ટોરેજની સુવિધા સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે અને જો આ પ્રતિબંધ થોડો સમય રહેશે તો ઉદ્યોગોમાં કામકાજ બંધ થઈ જવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, ઈન્ડોનેશિયાના આ નિર્ણયથી હવે ખાદ્યતેલ સસ્તું થશે
palm-oil

Follow us on

મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. આગામી સમયમાં ખાદ્યતેલો (Edible oil)ના ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે. રોઈટર્સ અનુસાર ઇન્ડોનેશિયા (Indonesia)એ 23 મેથી પામ ઓઈલ (Palm Oil) પરના નિકાસ પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી છે. 19 મેના રોજ જ ઈન્ડોનેશિયાના નેતાઓએ રાષ્ટ્રપતિને પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી, જે બાદ આજે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસ્તવમાં ઉદ્યોગને વિનંતી કરવામાં આવી હતી કે નિકાસ પરના પ્રતિબંધને કારણે દેશમાં પામ તેલના સંગ્રહની સુવિધાઓ સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે અને જો પ્રતિબંધો થોડો સમય રહેશે તો ઉદ્યોગમાં કામકાજ બંધ થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણું નુકસાન કરી શકે છે. પામતેલની નિકાસ પર પ્રતિબંધના કારણે ખાદ્યતેલોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે નિયંત્રણો હટાવવાની સાથે ફરી એકવાર સપ્લાયમાં વધારો થવાની શક્યતાને પગલે ભાવમાં નરમાઈ જોવા મળી શકે છે.

પામ ઉદ્યોગની સામે કામ બંધ થવાનું સંકટ

નિકાસ પરના પ્રતિબંધને કારણે ઈન્ડોનેશિયાના પામ ઓઈલ ઉદ્યોગ માટે પણ પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. દેશના નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભલે આ નિર્ણયથી દેશમાં પામ ઓઈલની કિંમતો નીચે આવી શકે, પરંતુ ઉદ્યોગને દર મહિને 400 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. તે જ સમયે, રોઈટર્સ સાથેની વાતચીતમાં ઈન્ડોનેશિયાના ઉદ્યોગોએ કહ્યું કે જો મેના અંત સુધીમાં પ્રતિબંધો હટાવવામાં નહીં આવે તો ઉદ્યોગમાં કામ અટકી શકે છે. સાથે જ આ નિર્ણયની અસર ખેડૂતો પર પણ પડી છે. રિપોર્ટ અનુસાર જ્યારે પામ ફ્રુટનું ઉત્પાદન સૌથી વધુ હતું.

ત્યારે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે પ્રતિબંધને કારણે કુલ પાકનો અડધો જ ઉપયોગ થયો હતો, જેના કારણે ખેડૂતોને કુલ 115 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક ઈન્ડોનેશિયાએ ગયા મહિને 28 એપ્રિલથી ક્રૂડ પામ ઓઈલ (CPO)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈન્ડોનેશિયાએ દેશમાં ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણયથી વિશ્વના એવા ઘણા દેશો પર ખરાબ અસર પડી છે, જેઓ ખાદ્યતેલની આયાત પર નિર્ભર છે. આમાં ભારત પણ સામેલ છે. ભારતમાં ખાદ્યતેલોના ભાવમાં પહેલેથી જ વધારો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયાના નિર્ણય બાદ ભાવ પર વધુ દબાણ વધ્યું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારત પર શું અસર થશે

ઈન્ડોનેશિયામાંથી નિકાસ પ્રતિબંધો હટવાથી ભારતમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. હકીકતમાં નિકાસ શરૂ થવાથી પામ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળશે, જ્યારે હાલમાં ભારતમાં પામ ઓઈલના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા તેલની માંગ પણ પુરવઠો શરૂ થવાને કારણે નરમ પડશે. જેના કારણે અન્ય ખાદ્યતેલોના ભાવ પણ નીચે આવી શકે છે. ભારત દર વર્ષે લગભગ 13 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત કરે છે, જેમાંથી 63 ટકા પામ તેલ છે. તેનો મોટો હિસ્સો ઈન્ડોનેશિયામાંથી આવે છે, જ્યારે બાકીનો હિસ્સો મલેશિયા અને થાઈલેન્ડથી ખરીદવામાં આવે છે. નિકાસ અટકી જવાને કારણે ખાદ્યતેલના પુરવઠામાં આવેલી તંગીને પહોંચી વળવા વિકલ્પ તરીકે અન્ય ખાદ્યતેલોનો ઉપયોગ વધ્યો, જેના કારણે તેમની કિંમતો પર પણ દબાણ આવ્યું. જોકે, નિકાસ ફરી શરૂ થતાં આ પગલાની અસર તમામ તેલ પર જોવા મળી શકે છે.

Next Article