કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર , સરકારે Income Tax અને GST અનુપાલનની સમય સીમા લંબાવી

|

May 02, 2021 | 4:28 PM

કોવિડ -19 ની બીજી લહેરના કારણે વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્કમટેક્સ(income tax) અને ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ(GST) માટેની મુદત લંબાવી છે સાથેસાથે લેટ ફી માફ કરી દીધી છે.

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર , સરકારે Income Tax અને  GST અનુપાલનની સમય સીમા લંબાવી
કોરોનની ગંભીર સ્થિતિ વચ્ચે સરકારે ઇન્કમે ટેક્સ અને GST રિટર્ન મામલે સમય સીમા અને લેટ ફી માં છૂટછાટ આપી છે

Follow us on

કોવિડ -19 ની બીજી લહેરના કારણે વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્કમટેક્સ(income tax) અને ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ(GST) માટેની મુદત લંબાવી છે સાથેસાથે લેટ ફી માફ કરી દીધી છે. નાણાં મંત્રાલયને ત્રણ મહિના સુધી રાહત માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સહિતના અનેક ઉદ્યોગની રજૂઆતો પ્રાપ્ત થઈ છે. દેશમાં કોવિડ કેસ વધી રહ્યા હોવાથી નિષ્ણાતોનું માનવું છે કે સરકારે સમયસીમાંને વધારવાની જરૂર છે.

વિલંબિત અથવા રિવાઇઝડ ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે નાણાંકીય વર્ષ 2019-20 માટે સમય વધારામાં રાહત આપવામાં આવી છે, GSTR -1 (sales return), GSTR 3B(summary return), GSTR -4 (annual composition return), અપીલ ફાઇલ કરવા, ટેક્સની ચુકવણી, વ્યાજના દરમાં રાહત, લેટ ફીમાં માફીનો સમાવેશ થાય છે.

” COVID-19 રોગચાળાની ગંભીર પરિસ્થિતિ કારણે ઉદવાયેલ વિપરીત સંજોગોને ધ્યાનમાં રાખીને અને દેશભરના કરદાતાઓ, કર સલાહકારો અને અન્ય હોદ્દેદારોની પ્રાપ્ત અનેક વિનંતીઓને ધ્યાનમાં રાખીને, વિવિધ પાલનની તારીખોમાં રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રયત્ક્ષ કરવેરા બોર્ડ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે કેટલીક સમયમર્યાદા વધારી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

રાહતનાં પગલાં હેઠળ સરકારે માર્ચ અને એપ્રિલ મહિના માટે summary return અથવા GSTR B ભરવાની લેટ ફી માફ ફરી છે . કરદાતાઓ જેમનું રૂ 5 કરોડ સુઘી અને 5 કરોડથી વધુનાં ટર્નઓવર છે તેમને અનુક્રમે અનુક્રમે 30 દિવસ અને 15 દિવસ સુધી રાહત આપી છે. ડીલરો દ્વારા વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ 30 એપ્રિલથી વધારીને ૩૧ મેં કરવામાં આવી છે. GSTR 1 અથવા સેલ્સ રિટર્ન માટેની નિયત તારીખ એક મહિના વધારીને 26 મે કરવામાં આવી છે.

દિલ્હી, મુંબઇ ,હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં શહેરોમાં લોકડાઉનનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્સના નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે જો પાલનની સમયરેખાઓ લંબાવામાં ન આવે તો નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ અસર થશે.

5 કરોડથી વધુનું ટર્નઓવર સાથે જીએસટી આકારણી માટે 15 દિવસના વિલંબ માટે વ્યાજ દર ઘટાડી 9 ટકા કરી દેવામાં આવ્યો છે. પ્રથમ 15 દિવસ માટે 5 કરોડ રૂપિયાના ટર્નઓવર માટે વ્યાજ માફી આપવામાં આવી છે જયારે પછીના 15 દિવસ માટે 9 ટકા દર કરાયો છે,

આવકવેરાની વાત કરીએ તો સરકારે આકારણી વર્ષ 2020-21 અંતર્ગત વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 મે 2021 સુધી લંબાવી છે જે અગાઉ 31 માર્ચથી 2121 સુધી હતી. ITએક્ટની કલમ 148 હેઠળની નોટિસના જવાબમાં આવકવેરા રિટર્ન સમયમર્યાદા 1 એપ્રિલથી વધારીને 31 મે કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત Dispute Resolution Panel (DRP) સામે વાંધા નોંધાવવાની અને કમિશનરને અપીલ ફાઇલ કરવાની તારીખ 31 મે સુધી લંબાવી દેવામાં આવી છે.

Next Article