01 February, 2021થી રોજિંદી જિંદગી સાથે જો઼ડાયેલા અનેક નિયમો બદલાવા જઇ રહ્યા છે. જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ એટીએમમાંથી પૈસા કાઢવા જેવા અનેક નિયમો છે. 01 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજૂ કરશે. જેમાં પ્રોડક્ટ સીમા પર ચાર્જ વધારી કે ઘટાડી શકે છે. તો પ્રોડક્ટ્સ ક્યા તો સસ્તા ક્યા તો મોંઘા થઇ શકે છે. આવો જાણીએ આ નિયમો વિશે..
01 ફેબ્રુઆરીથી બદલાશે સિલિન્ડરના ભાવ
01 ફેબ્રુઆરીથી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ થશે. જોકે ગયા વર્ષે ડિસેમ્બરમાં 2 વાર રાંધણ ગેસની કિંમત વધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કંપનીઓએ ભાવ વધાર્યા નહોતા. હવે ફેબ્રુઆરીમાં જોવાનું રહેશે કે કંપનીયો ભાવ વધારે છે કે નહી. દર મહિને પહેલી તારીખે કંપનીઓ રાંધણ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.
નહી કાઢી શકો એટીએમમાંથી પૈસા
પંજાબ નેશનલ બેન્ક પહેલી ફેબ્રઆરીથી એટીએમથી પૈસા કાઢવાના નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે. પીએનબીએ દેશભરમાં વધી રહેલા એટીએમ ફ્રોડને રોકવા માટે સરહાનીય પગલા ઉઠાવવામાં આવ્યા છે. જો આપનું પણ પીએનબીમાં એકાઉન્ટ છે તો આ ખબર આપના માટે છે. 1 ફેબ્રુઆરી થી પીએનબી ગ્રાહકો બીજા ઇએમવી મશીનમાંથી પૈસા નહી કાઢી શકે. પીએનબી બેન્કે પોતાના કાયદેસર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. નોન ઇએમવી એટીએમ અથવા બીજા એટીએમ એ હોય છે જેમાં એટીએમ અથવા ડેબિડ કાર્ડનો ઉપયોગ લેણદેન દરમિયાન નથી કરવામાં આવતો. આ મશીનમાં ડેટા કાર્ડ મેગ્નેટિક પટ્ટીના માધ્યમથી વાંચવામાં આવે છે.
01 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
મળતી જાણકારી મુજબ પોલિશ કરેલા હીરા રબરકા સામાન , ચામડાનું કપડું , દૂરસંચાર ઉપકરણ જેવા 20થી વધારે ઉત્પાદનોના ચાર્જમાં કાપ આવી શકે છે. આ સિવાય ફર્નીચર બનાવવા માટે ઉપયોગ થનારા કેટલાક લાકડા અને હાર્ડબોર્ડ વગેરે પર સીમા શુલ્કને પૂર્ણ શકે છે.
Published On - 6:25 pm, Tue, 26 January 21