અંબાણી પરિવાર દેશનું સૌથી અમીર પરિવાર છે. અંબાણી પરીવાર પાસે પૈસા છે એનો અર્થ એમ નથી કે તેને ત્યાં કોઈ જ પ્રકારનું દુ:ખ નથી. જ્યારે મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા ત્યારે બધું સરસ રીતે ચાલતું હતું. લગ્નના 3 વર્ષ પછી એક ખરાબ ખબર પરીવારને મળી હતી. આ વાતનો ખુલાસો ખુદ નીતા અંબાણીએ […]
Follow us on
અંબાણી પરિવાર દેશનું સૌથી અમીર પરિવાર છે. અંબાણી પરીવાર પાસે પૈસા છે એનો અર્થ એમ નથી કે તેને ત્યાં કોઈ જ પ્રકારનું દુ:ખ નથી.
જ્યારે મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા ત્યારે બધું સરસ રીતે ચાલતું હતું. લગ્નના 3 વર્ષ પછી એક ખરાબ ખબર પરીવારને મળી હતી. આ વાતનો ખુલાસો ખુદ નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો જેમાં તેમણે કહ્યું કે તેણી હંમેશાથી માં બનવા માગતા હતા. સ્કૂલમાં તેણીએ માં બનવાને લઈને એક નિબંધ પણ લખ્યો હતો. પણ લગ્નના 3 વર્ષ પછી ડૉક્ટરે કહ્યું કે તેણી માં ક્યારેય પણ નહીં બની શકે.
એ વખતે નીતા અંબાણીની ઉંમર 23 વર્ષની હતી. આ વાત સાંભળીને નીતા અંબાણી તૂટી પડ્યા હતા. ત્યારબાદ નીતા અંબાણીના સારા મિત્ર જે ડૉક્ટર પણ છે તે ફિરુજા પારિખે નીતા અંબાણીની મદદ કરી. તેમની સલાહથી નીતા અંબાણીના ઘરે જુડવા છોકરાનો જન્મ થયો. આમ નીતા અંબાણીના ઘરે બંને બાળકોનો જન્મ IVF ટેક્નોલોજીથી થયો છે. આમ ઈશા અંબાણી અને આકાશ અંબાણીનો જન્મ જુડવા બાળકો તરીકે થયો હતો, તે પછી અનંત અંબાણીનો જન્મ થયો.