હિંડનબર્ગને ઊતરી ગયું રિસર્ચનું ભૂત! અદાણી પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ, માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર, જાણો કયા શેરમાં થયો વધારો

|

Aug 19, 2023 | 10:02 AM

શુક્રવારે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં જોરદાર વળતર આવ્યું હતું. તમામ શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. શુક્રવારે અદાણીના તમામ શેરોમાં 2 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

હિંડનબર્ગને ઊતરી ગયું રિસર્ચનું ભૂત! અદાણી પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ, માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર, જાણો કયા શેરમાં થયો વધારો
Gautam Adani
Image Credit source: Google

Follow us on

Gautam Adani: અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગે ગૌતમ અદાણીને તેમની કંપનીઓ પર નકારાત્મક અહેવાલ જાહેર કરીને મોટો ઝટકો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અહેવાલ પછી, કંપનીના શેર અને માર્કેટ કેપ નીચે પડી ગયું હતું. હવે અદાણીએ પુનરાગમન કર્યું છે. તેમની કંપનીઓમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

આ પણ વાંચો: અદાણીના આ શેયર પર વિદેશી રોકણકારોએ લગાવ્યો મોટો દાવ, 9000 કરોડના 31 કરોડ શેયર ખરીદ્યા

વર્ષની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલથી અદાણીની કંપનીઓને મોટું નુકસાન થયું હતું. કંપનીના શેર તૂટ્યા હતા. કંપનીના શેરના ભાવ અડધાથી વધુ તૂટ્યા હતા. અદાણી ગ્રૂપની માર્કેટ કેપ ઘટી છે એટલું જ નહીં, ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક અબજોપતિઓની યાદીમાં પણ નીચે આવી ગયા છે. પરંતુ હવે કંપની ધીમે ધીમે પાટા પર આવી રહી છે. શુક્રવારે કંપનીના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. નબળા બજાર વચ્ચે અદાણીની કંપનીઓના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. આ દિવસે અદાણી એન્ટરપ્રાઈઝ( Adani Enterprises), અદાણી પોર્ટ્સ(Adani Ports), અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission), અદાણી ગ્રીન એનર્જી(Adani Green Energy), અદાણી ટોટલ ગેસ(Adani Total Gas), અદાણી વિલ્મર( Adani Wilmar), અદાણી પાવર (Adani Power), એસીસી, અંબુજા સિમેન્ટ અને NDTVના શેરમાં વધારો થયો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

માર્કેટ કેપ 11 લાખ કરોડને પાર

શુક્રવારે અદાણી ગ્રૂપની તમામ 10 કંપનીઓના શેરમાં જોરદાર વળતર આવ્યું હતું. તમામ શેર લીલા નિશાન સાથે બંધ થયા છે. શુક્રવારે અદાણીના તમામ શેરોમાં 2 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. શેરમાં વધારાની અસર આ કંપનીઓના માર્કેટ કેપ પર પડી હતી. હવે અદાણી ગ્રુપની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 11 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. જે છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ છે. ફેબ્રુઆરી પછી પ્રથમ વખત અદાણી જૂથનું માર્કેટ કેપ આ સ્તરે પહોંચ્યું છે.

કયા શેરોમાં વધારો થયો હતો

અદાણીના શેરમાં મજબૂત તેજીના પગલે ગ્રુપનું માર્કેટ કેપ 6 મહિનાની ટોચે પહોંચી ગયું છે. શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં રૂ. 76,000 કરોડનો વધારો થયો હતો. આ વધારા સાથે અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ રૂ. 11.26 લાખ કરોડને વટાવી ગયું છે. તે પૈકી અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મરમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે અદાણી ગ્રીન એનર્જી 7 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, 4 ટકા, અદાણી વિલ્મર 4 ટકા થી વધુ વધ્યા હતા. અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ 6.3 ટકા અને 6.04 ટકા વધ્યા હતા. તે જ સમયે, અદાણી ટોટલ અને NDTV 4 ટકા કરતા વધુની મજબૂતી સાથે ટ્રેડિંગ પછી બંધ થયા હતા.

કેમ તેજી આવી ?

શુક્રવારે સવારે બજાર ખુલતાની સાથે જ એક સારા સમાચાર આવ્યા હતા. સમાચાર એવા હતા કે અબુ ધાબીની નેશનલ એનર્જી કંપની PJSC (TAQA) અદાણીની કંપનીમાં $2.5 બિલિયનનું રોકાણ કરવા જઈ રહી છે. જે બાદ અદાણી પાવરના શેર રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા. જો કે, અહેવાલ આવ્યાના થોડા સમય પછી, અદાણીએ શેરબજારને સ્પષ્ટતા આપી હતી કે તેઓ TAQA સાથે વાતચીત કરી રહ્યા નથી અને ન તો આ અબુ ધાબી કંપની કોઈ રોકાણ કરવા જઈ રહી છે. અગાઉ, GQG પાર્ટનર્સ અને તેની સહયોગી સંસ્થાઓએ અદાણી પાવરમાં $1.1 બિલિયનનું રોકાણ કર્યું હતું. આ રોકાણ પછી, GQG પાર્ટનર્સ પાસે અદાણીની કંપનીમાં 29.81 કરોડ શેર અથવા 7.73 ટકા હિસ્સો છે. આ સમાચારોની અસર અદાણીના શેર પર પડી અને શેરમાં ઉછાળો આવ્યો. રોકાણકારોના વિશ્વાસમાં વૃદ્ધિની અસર અદાણીના શેર પર જોવા મળી રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article