AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, કોને મળશે લાભ, વાંચો ITR સંબંધિત મહત્વના પ્રશ્નોના જવાબ

AY 2021-22 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. જોકે આ રાહત માત્ર કોર્પોરેટ્સને જ આપવામાં આવી છે.

રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, કોને મળશે લાભ, વાંચો ITR સંબંધિત મહત્વના પ્રશ્નોના જવાબ
Income tax return Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 9:26 PM
Share

કોરોનાના સતત વધી રહેલા કેસોના (Corona Cases) પડકાર અને ઈલેક્ટ્રોનિક ફાઇલિંગમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે રિટર્ન ફાઈલ કરવામાં બિઝનેસ કરદાતાઓને રાહત આપતા ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી છે. સીબીડીટીએ આજે જાહેરાત કરી છે કે, AY 2021-22 (Assessment Year) માટે આઈટીઆર (Income Tax Return) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. તારીખોમાં આ છૂટ સામાન્ય કરદાતાઓ માટે નથી. CBDT ની આ રાહત સંબંધિત તમારા બધા પ્રશ્નોના જવાબો જાણો.

રિટર્ન ભરવાની છેલ્લી તારીખ કેમ લંબાવવામાં આવી ?

સીબીડીટી દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે,  કોવિડને કારણે ચાલી રહેલી મુશ્કેલી અને રીપોર્ટસની ઈલેકટ્રોનિક ફાઈલિંગમાં આવતી સમસ્યાઓને જોતા સીબીડીટીએ છેલ્લી તારીખો લંબાવી છે. આ સાથે બીજી ઘણી મહત્વની તારીખો આગળ ધપાવવામાં આવી છે.

તારીખોમાં લંબાવાય છે તેનો લાભ કોને મળશે

આ વધારો બિઝનેસ કરદાતાઓ માટે કરવામાં આવ્યો છે, રિટર્ન ફાઇલ કરવાની સાથે, કોર્પોરેટ કરદાતાઓએ ઘણી મહત્વપૂર્ણ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરવી પડે છે, આ સ્થિતિમાં, મુશ્કેલ પ્રક્રિયા અને કોવિડના પડકારને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ કરદાતાઓને સમય મર્યાદામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આ રાહત તે કરદાતાઓને આપવામાં આવશે જેમણે કોઈપણ નિયમ હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાનું હોય છે. સમય મર્યાદા લંબાવાથી કરદાતાઓને ઓડિટ કરાવવાનો સમય મળશે.

સામાન્ય કરદાતાઓ પર નિર્ણયોની શું અસર થશે

CBDTનો આ નિર્ણય કોર્પોરેટ કરદાતાઓ માટે છે. આ સ્થિતિમાં આ નિર્ણયની સામાન્ય કરદાતાઓ પર કોઈ અસર નહીં થાય. એટલે કે, તેમના માટે રિટર્નની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી અને જે લોકો આ સમયગાળામાં તેમનું રિટર્ન ફાઇલ કરી શક્યા નથી તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

જો નિયત સમય મર્યાદામાં રિટર્ન ફાઈલ કરવામાં ન આવે તો શું થશે ?

જો તમારી આવક 5 લાખ સુધીની છે તો લેટ ફી એક હજાર રૂપિયા હશે અને જો આવક 5 લાખથી વધુ છે તો આ લેટ ફી 10 હજાર રૂપિયા સુધી ચૂકવવી પડશે. જો તમારો ટેક્સ બાકી છે અને તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારું રિટર્ન ભર્યું નથી, તો એક દિવસના વિલંબ માટે પણ તમારે આખા મહિના માટે 1 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો તમારો ટેક્સ વધુ કપાયો છે અને તમે રિફંડ લેવાના હતા પરંતુ 31મી સુધીમાં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમને આ રિફંડ લેવામાં પણ વિલંબ થશે.

આ પણ વાંચો :  TATA GROUP ના આ શેરે 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 2800 ટકા રિટર્ન, 1 વર્ષમાં 1 લાખ ના થયા 29 લાખ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">