કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ગ્રાહકોઅગત્યના સમાચાર આવ્યા છે. બેંકે શાખાઓના કામકાજના સમય બદલ્યા છે. કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ શાખા સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી કામ કરતી હતી હવે તેમાં 2 કલાક વધારવામાં આવ્યા છે. હવે બેંક શાખાઓ 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
બેંકના કામકાજના સમય બદલ્યાં છે
અગાઉ કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કામકાજના સમય ઘટાડ્યા હતા. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કામના કલાકોમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઇએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે કે ગ્રાહકો તેમની બેંક સંબંધિત કામ સવારે 10 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કરી શકશે. અમારી બધી શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે, તેમ બેંકે ટ્વિટ કર્યું છે.
Now, as per SLBC instructions, our branch is functioning to render customer services from 10 a.m. to 4.00 p.m. w.e.f. 01.06.2021
— State Bank of India (@TheOfficialSBI) June 1, 2021
રોકડ ઉપાડના નિયમો બદલાયા
એસબીઆઈએ તેના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જારી કરી તેઓને નવા રોકડ ઉપાડના નિયમો વિશે માહિતગાર કર્યા છે. તદનુસાર હવે બિન-સ્થાનિક શાખાઓમાંથી કેશ ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી છે અને ગ્રાહકો એક દિવસમાં 25000 રૂપિયા ઉપાડી શકશે.
1 દિવસમાં રૂપિયા 25000 ઉપાડી શકાશે
એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, “કોરોના રોગચાળામાં તેના ગ્રાહકોને સમર્થન આપવા માટે એસબીઆઇએ ચેક અને ઉપાડના ફોર્મ્સ દ્વારા બિન-સ્થાનિક રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહકો તેમની નજીકની શાખા (હોમ બ્રાન્ચ સિવાય) જાતે જઈ એક દિવસમાં તેમના બચત ખાતામાંથી 25,000 રૂપિયા ઉપાડ કરી શકે છે.