GST New Rule: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગ આ દિવસોમાં ખૂબ જ કડક બન્યો છે. ખાસ કરીને તે વીમા કંપનીઓને નોટિસ મોકલી રહ્યા છે. જેના કારણે વીમા કંપનીઓમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે GST વિભાગે નાણાકીય વર્ષ 2018ના મામલામાં હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો: GST on Online Gaming : 1 ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાગુ પડશે, જાહેરનામું બહાર પડ્યું
સૌથી મોટી વાત એ છે કે કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકીને પણ GST વિભાગ તરફથી કારણ બતાવો નોટિસ જાહેર કરવામાં આવી છે. નોટિસમાં મારુતિ સુઝુકીને જલ્દી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ખાનગી ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ, GST વિભાગે દેશભરની હજારો કંપનીઓને નોટિસ પાઠવી છે. GST વિભાગનું કહેવું છે કે આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2017-18માં ટેક્સ પેમેન્ટમાં છેતરપિંડી કરી છે. મારુતિ સુઝુકી સહિતની આ કંપનીઓએ નિર્ધારિત કરતાં ઓછો ટેક્સ ચૂકવ્યો છે. ખાસ વાત એ છે કે GST વિભાગે પોતાની નોટિસમાં તમામ કંપનીઓ માટે જવાબ આપવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરી છે. આનો અર્થ એ છે કે જે કંપનીઓ 30 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપી શકી નથી તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
GST વિભાગ અનુસાર, GST આઉટપુટ અને કંપનીઓની જવાબદારીઓ એકબીજા સાથે મેળ ખાતી ન હતી. આ સિવાય ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ટેક્સ ક્રેડિટનો ખોટો દાવો અને ડિસ્કાઉન્ટેડ સપ્લાયના કેસમાં ક્રેડિટ રિવર્સલ જેવા કારણોસર પણ નોટિસ જાહેર કરવામાં આવી છે. GST વિભાગે છેલ્લા 15 દિવસમાં કંપનીઓને આ નોટિસ મોકલી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે GST વિભાગે કોઈ કંપનીને નોટિસ મોકલી હોય. આ પહેલા પણ વિભાગે 6 વીમા કંપનીઓને નોટિસ મોકલી છે. જ્યારે વીમા કંપની ICICI પ્રુડેન્શિયલને GST વિભાગ તરફથી નોટિસ મળી, ત્યારે તેણે શેરબજારોને પણ તેની જાણ કરી છે. જો કે, ICICI કેસમાં, GST વિભાગે કહ્યું હતું કે આ કંપનીએ રિ-ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી લીધી હતી, પરંતુ વધુ GST ચૂકવ્યો નથી.