સરકારે LIC ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો, IPO લાવવાની ચાલી રહી છે તૈયારી

|

Jan 30, 2022 | 11:58 PM

સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના ચેરમેન એમ. આર. કુમારનો કાર્યકાળ એક વર્ષ લંબાવ્યો છે. LICનો આઈપીઓ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સ્થિતિમાં સરકાર ઇચ્છે છે કે IPO પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય.

સરકારે LIC ચેરમેનનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવ્યો, IPO લાવવાની ચાલી રહી છે તૈયારી
Government extends tenure of LIC chairman for one year

Follow us on

સરકારે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના ચેરમેન એમઆર કુમારનો કાર્યકાળ (Tenure) એક વર્ષ લંબાવ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ સૂત્રોએ આ માહિતી આપી છે. નોંધનીય છે કે, એલઆઈસીનો પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે આઈપીઓ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ઇચ્છે છે કે IPO પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય. વિસ્તરણ પછી, કુમાર માર્ચ 2023 સુધી એલઆઈસીના ચેરમેન પદ (LIC Chairman) પર રહેશે. આ સાથે એલઆઈસી મેનેજિંગ ડિરેક્ટર રાજ કુમારનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

એલઆઈસીના ચેરમેનને બીજી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું છે. LICના પ્રસ્તાવિત IPOને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે જૂનમાં તેમને પ્રથમ વખત નવ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. બજેટની જાહેરાત મુજબ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICને શેરબજારમાં લિસ્ટ કરવા માંગે છે.

IPO દ્વારા 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગયા વર્ષે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે વીમા ક્ષેત્રની દીગ્ગજ કંપનીનો IPO 2021-22માં આવશે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવાના દૃષ્ટિકોણથી LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

સરકાર પાસે એલઆઈસીનો 100 ટકા હીસ્સો છે. એકવાર લિસ્ટેડ થયા પછી LIC માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની બની જશે. તેનું માર્કેટ વેલ્યુએશન 8 થી 10 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે. આ દરમિયાન, સરકારે લિસ્ટિંગ માટે એલઆઈસીની અધિકૃત મૂડીને ઉલ્લેખનીય રીતે 100 કરોડ રૂપિયાથી વધારીને 25,000 કરોડ રૂપિયા કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે સરકાર માર્ચના અંતમાં દેશની સૌથી મોટી વીમા કંપની LICને શેરબજારમાં લિસ્ટ કરાવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) અંગે બ્રોશરને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને બજાર નિયામક સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) પાસે જમા કરાવવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ પીટીઆઈને જણાવ્યું હતું કે LICની ડિસઇન્વેસ્ટમેન્ટ રકમ આ વર્ષના બજેટમાં સામેલ છે કારણ કે અમારું લક્ષ્ય 31 માર્ચ પહેલા તેને સૂચિબદ્ધ કરવાનું છે. તેમણે કહ્યું કે સરકાર માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા માટે LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

આ પણ વાંચો :  Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે રજૂ કરશે આર્થિક સર્વે, જીડીપીના અનુમાન પર રહેશે નજર

Next Article