2008 બાદ પહેલી વાર એવું બન્યુ કે ભારતના ધનાઢ્ય લોકોની ટોપ પોઝિશનમાં બદલાવ આવ્યો છે. 2008 બાદ પહેલીવાર એવુ બન્યુ કે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી પછાડીને દેશના ટોપ ઉદ્યોગપતિનું સ્થાન મેળવ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થ વર્ષ 2021માં લગભગ ત્રણ ગણી વધી અને વર્ષ 2022માં વધીને 150 બિલીયન ડોલર પહોંચી છે, એવામાં ગૌતમ અદાણી ભારતના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.
ગૌતમ અદાણીએ આવનારા વર્ષોમાં 100 અબજ ડોલરના રોકાણની યોજનાનું એલાન કરી ચુક્યા છે. એમા પણ આ રકમનો 70 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીને મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 1,211,460.11 કરોડની કુલ સંપતિ વાળા અદાણી દેશના સૌથી મોટા પોર્ટના માલિક પણ છે. શેરબજારમાં પાછલા વર્ષની તુલનામાં વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ધનાઢ્ય લોકોની સંપતિ વધી છે. આ 100 લોકોની સંયુક્ત સંપતિ 25 અબજ ડોલરથી વધીને 800 અબજ ડોલર થવા પામી છે. રૂપિયો ભલે 10 ટકા નબળો પડ્યો પરંતુ, અબજોપતિ અદાણી તો ટોપ પોઝીશન પર જ રહ્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ગુમાવી ચુક્યા છે, હવે તે બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની વર્તમાન નેટવર્થ $88 બિલિયન છે, જે 2021ની સરખામણીમાં 5 ટકા ઓછી છે. અંદાજ મુજબ દેશના સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો હિસ્સો 30 ટકા છે. યાદીમાં ત્રીજી વ્યક્તિ રાધાકિશન દામાણી છે, જેઓ સ્ટોર્સના DMart નેટવર્કના માલિક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા તેમની પાછળ છે. પૂનાવાલાની નેટવર્થ $21.5 બિલિયન છે જ્યારે દામાની પાસે $27.6 બિલિયન છે.
ફોર્બ્સ અનુસાર, ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ છે, જે ઓપી જિંદાલ ગ્રુપની ચેરપર્સન છે. તેની કુલ સંપત્તિ $16.4 બિલિયન છે. તમને જણાવી દઈએ કે આ Paytmના સ્થાપક વિજય શેખર શર્મા આ વર્ષે ફોર્બ્સની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ વર્ષે શર્માની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. Paytmનો IPO આવ્યા બાદથી તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. આ IPOને વિશ્વનો સૌથી ખરાબ પ્રદર્શન કરનાર IPO તરીકે ગણવામાં આવી રહ્યો છે.
Published On - 3:28 pm, Tue, 29 November 22