ABRY : આ યોજના હેઠળ EPFO આપી રહ્યું છે વિશેષ લાભ, જાણો યોજના વિશે વિગતવાર

|

Feb 13, 2022 | 7:00 AM

ABRY યોજના હેઠળ સરકાર 2 વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) માં કર્મચારી અને એમ્પ્લોયરના હિસ્સાનું આયોજન કરશે.

ABRY : આ યોજના હેઠળ EPFO આપી રહ્યું છે વિશેષ લાભ, જાણો યોજના વિશે વિગતવાર
EPFO

Follow us on

જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) યુવાનોને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) હેઠળ સરળતાથી નોકરી મેળવવાની તક આપી રહ્યું છે.EPFOએ જણાવ્યું છે કે રોજગાર શોધી રહેલા યુવાનો હવે Aatmanirbhar Bharat Rojgar Yojana  હેઠળ 31 માર્ચ, 2022 સુધી નોંધણી કરાવી શકે છે. સરકાર આ નોંધણી દ્વારા કંપનીમાં નોકરી કરવા માટે કર્મચારીઓના PFની ચૂકવણી કરશે. એટલું જ નહીં કંપની વતી PFમાં જતી રકમ પણ સરકાર ચૂકવશે.

યોગદાન 2 વર્ષ માટે 24% રહેશે

ABRY યોજના હેઠળ સરકાર 2 વર્ષ માટે ભવિષ્ય નિધિ (PF) માં કર્મચારી અને એમ્પ્લોયરના હિસ્સાનું આયોજન કરશે. તેનાથી કંપનીઓને વધુ સંખ્યામાં રોજગાર આપવા માટે પણ પ્રોત્સાહિત થશે. આ યોજનાનો લાભ નોકરી મળ્યાના 24 મહિના સુધી મેળવી શકાય છે. સરકાર પગારના 24 ટકા યોગદાન આપશે. કર્મચારી વતી 12 ટકા અને એમ્પ્લોયર વતી 12 ટકા.

આ યોજનાની મુખ્ય શરત છે

સરકારે જણાવ્યું છે કે ABRY યોજનાનો લાભ ફક્ત તે જ કર્મચારીઓને આપવામાં આવશે જેમનો પગાર રૂ. 15000 થી ઓછો હશે. કર્મચારીનો પગાર માસિક 15 હજારની મર્યાદાને વટાવતા જ તેના પીએફ ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવતો ફાળો બંધ થઈ જશે. આ ઉપરાંત જે કંપનીમાં 1,000થી વધુ કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

72 લાખ કર્મચારીઓને ફાયદો મળશે

સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અંદાજ છે કે લગભગ 71.8 લાખ નવા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. જે કર્મચારીઓ 31 માર્ચ, 2022 સુધીમાં EPFO સાથે નોંધણી કરાવશે, તેમને આગામી બે વર્ષ માટે સરકાર તરફથી PF યોગદાનનો લાભ આપવામાં આવશે. આ સ્કીમ એ કંપનીઓ માટે લાગુ થશે જેમણે ઑક્ટોબર 2020 પહેલાં EPFO સાથે નોંધણી કરાવી છે.

 

આ પણ વાંચો : SEBI એ Anil Ambani ઉપર શેરબજારમાં લગાવ્યો પ્રતિબંધ, અંબાણીની કંપની Reliance Home Finance સામે પણ કાર્યવાહી કરાઈ

 

આ પણ વાંચો : કામની વાત: ફ્લાઈટમાં કોઈ સમસ્યા હશે તો બીજી કંપનીની ફ્લાઇટમાં કરી શકશો મુસાફરી, Air India અને Air Asia વચ્ચે થયો મોટો કરાર

Next Article