
નોકરીયાત લોકો માટે પીએફ (PF) માત્ર એક સરકારી બચત યોજના નથી, પરંતુ નિવૃત્તિ પછીનો સૌથી મોટો આર્થિક સહારો છે. દર મહિને જ્યારે સેલેરી સ્લિપ હાથમાં આવે છે, ત્યારે પીએફ કપાયાના આંકડા પર નજર જરૂર જાય છે. ઘણા લોકો એવું વિચારે છે કે જો તેમનો દર મહિને 10,000 રૂપિયા પીએફ કપાય છે, તો વર્ષના અંતે સરકાર દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક વ્યાજદર (જેમ કે 8.25 ટકા) ના આધારે સીધું આખી રકમ પર વ્યાજ મળી જશે. પરંતુ વાસ્તવમાં પીએફનું ગણિત આટલું સરળ નથી. પીએફ ખાતામાં વ્યાજની ગણતરી દર મહિનાના રનિંગ બેલેન્સ પર થાય છે, પરંતુ તે ખાતામાં વર્ષના અંતે એટલે કે 31 માર્ચે જ જમા થાય છે.
ગણતરી સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે તમારા પીએફ ખાતામાં પૈસા કેવી રીતે જમા થાય છે. તમારી બેઝિક સેલેરી અને ડીએ (મોંઘવારી ભથ્થું) ના 12 ટકા હિસ્સો તમારા પીએફ ખાતામાં જાય છે. એટલે કે 12 ટકા હિસ્સો તમારી કંપની પણ આપે છે. પરંતુ કંપનીના 12 ટકા હિસ્સામાંથી 8.33 ટકા ભાગ કર્મચારી પેન્શન યોજના (EPS) માં ચાલ્યો જાય છે અને માત્ર 3.67 ટકા હિસ્સો જ તમારા ઈપીએફ (EPF) ખાતામાં જમા થાય છે.
ભલે વ્યાજ વર્ષના અંતે 31 માર્ચે ખાતામાં જમા થાય છે, પરંતુ ઇપીએફઓ (EPFO) તેની ગણતરી દર મહિનાના ક્લોઝિંગ બેલેન્સ પર કરે છે. સરકાર વાર્ષિક વ્યાજદર જાહેર કરતી હોવાથી, દર મહિનાનું વ્યાજ શોધવા માટે તેને 12 વડે ભાગવું પડે છે.
માસિક વ્યાજ દર = વર્ષિક વ્યાજ દર / 12 x 100
માસિક વ્યાજ દર = 8.25 / 12 x 100 =0.006875 (એટલે કે 0.6875% )
ધારી લઈએ કે 01 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે અને તમારું ઓપનિંગ બેલેન્સ ઝીરો છે. કર્મચારી અને કંપની બંનેનો હિસ્સો મળીને દર મહિને કુલ 10,000 રૂપિયા ખાતામાં જમા થાય છે:
આવી જ રીતે દર મહિને ક્લોઝિંગ બેલેન્સ 10-10 હજાર રૂપિયા વધતું જશે અને વ્યાજની રકમ પણ વધતી જશે. આખા 12 મહિનાના વ્યાજનો ચાર્ટ નીચે મુજબ છે,
વર્ષના અંતે 31 માર્ચે ઇપીએફઓ આખા વર્ષ દરમિયાન ગણતરી થયેલા કુલ વ્યાજને તમારા કુલ જમા ભંડોળમાં ઉમેરી દે છે,
નિયમ અનુસાર, દર મહિનાની 15 તારીખ પહેલાં પીએમના પૈસા ખાતામાં જમા થઈ જવા જોઈએ. જો કોઈ કંપની પૈસા જમા કરાવવામાં મોડું કરે, તો કર્મચારીને તે મહિનાના વ્યાજનું નુકસાન થઈ શકે છે. તમે ઇપીએફઓની સત્તાવાર વેબસાઇટ અથવા ઉમંગ એપ (Umang App) ની મદદથી દર મહિને તમારી પાસબુક અપડેટ જોઈ શકો છો.