Dhanteras & Diwali 2024 Shopping Muhurat : આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિએ અમૃતના પાત્ર સાથે અવતાર લીધો હતો. આ દિવસે સોનું, ચાંદી અને વાહન ખરીદવાથી વ્યક્તિના ધનમાં વધારો થાય છે. જો તમે આ વખતે ધનતેરસ અથવા દિવાળી પર વાહન ખરીદવા માંગતા હોવ, તો તમે આ શુભ સમયમાં ખરીદી કરી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.
ખરેખર ધનતેરસનો આખો દિવસ ખરીદી માટે શુભ હોય છે. પરંતુ જો ખરીદી માટેના ખાસ સમયની વાત કરીએ તો તમે 30 ઓક્ટોબરના રોજ સવારે 10.31 વાગ્યાથી બપોરે 1.15 વાગ્યા સુધી વાહન ખરીદી શકો છો.
ચલ (સામાન્ય) – 09:18 સવારે – 10.41 સવારે
લાભ (ઉન્નતિ) – સવારે 10.41 થી બપોરે 12.05 વાગ્યા સુધી
અમૃત (સર્વોત્તમ) – બપોરે 12.05 થી 01.28 વાગ્યા સુધી
લાભ (ઉન્નતિ) – રાત 7.15 – રાત 08.51 સુધી
શુભ (ઉત્તમ) – 04.13 બપોરે – 05.36 સાંજ સુધી
અમૃત (સર્વોત્તમ) – સાંજે 05.36 કલાકથી – રાતે 07.14 કલાક સુધી
ચલ (સામાન્ય) – રાતે 07.14 કલાકથી – રાતે 08.51 કલાક સુધી
પ્રથમ મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – સવારે 06:33 – સવારે 10:42
બીજું મુહૂર્ત (ચલ) – 04:13 સાંજે – 05:36 સાંજે
ત્રીજું મુહૂર્ત (શુભ) – 12:04 બપોરે – 13:27 બપોરે
ધનતેરસ- 29 ઓક્ટોબર
કાળી ચૌદશ – 30 ઓક્ટોબર
દિવાળી- 31 ઓક્ટોબર
બેસતું વર્ષ (નવું વર્ષ) – 02 નવેમ્બર
ભાઈબીજ- 03 નવેમ્બર
(અસ્વીકરણ : આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. TV 9 ગુજરાતી અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે જવાબદાર નથી.)