ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

|

Sep 10, 2021 | 10:23 PM

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ વાણિજ્ય મંત્રાલયને જણાવ્યું હતું કે ચીન ભારતીય બજારમાં કેટલાક એલ્યુમિનિયમ ઉત્પાદનોને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં સ્થાનિક ઉત્પાદકોને બચાવવા માટે સરકારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવી જોઈએ.

ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

Follow us on

વાણિજ્ય મંત્રાલય અંતર્ગત તપાસ સંસ્થા ડીજીટીઆર (DGTR)એ સરકારને જણાવ્યું છે કે લોકલ મેન્યુફેક્ચર્સને બચાવવા માટે ચીન (China)થી આયાત કરવામાં આવતા કેટલાક એલ્યુમિનિયમ ઉત્પાદનો પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની જરૂર છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ જણાવ્યું હતું કે ચીનથી આવી રહેલા ઉત્પાદનોને સસ્તી કિંમતે ભારતમાં મોકલવામાં આવતા સ્થાનિક ઉદ્યોગને અસર થઈ છે.

 

ડીજીટીઆર (DGTR) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઘરેલુ ઉદ્યોગને વાસ્તવિક ઈજા મોટા પ્રમાણમાં સસ્તી આયાતને કારણે થઈ છે. “તેથી, ઓથોરિટી ચીનમાં ઉત્પાદિત અથવા નિકાસ થતી વિષયવસ્તુની તમામ આયાત પર ચોક્કસ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરવી જરૂરી માને છે,” એમ જણાવ્યું હતું. ડીજીટીઆરએ (DGTR) પ્રતિ ટન 65 ડોલર અને પ્રતિ ટન 449 ડોલરની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવાની ભલામણ કરી છે. નાણાં મંત્રાલય ડ્યૂટી વસૂલવાનો અંતિમ નિર્ણય લે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ચીન સ્થાનિક બજાર દર કરતા નીચા ભાવે નિકાસ કરે છે

આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં કોઈ પણ માલની ડમ્પિંગ ત્યારે માનવામાં આવે છે ત્યારે કોઈ દેશ અથવા તેની કંપની કોઈ વસ્તુની નિકાસ બીજા દેશને સ્થાનિક બજારની કિંમત કરતા ઓછી કિંમતે કરે છે. આવા આયાતી માલની આયાત કરનાર દેશના બજાર પર ખરાબ અસર પડે છે. તે દેશની ઉત્પાદન કંપનીઓના માર્જિન અને નફા પર દબાણ વધે છે.

આંતરરાષ્ટ્રીય વેપારમાં ડમ્પિંગ ચાર્જ લાદવો તે ખોટું નથી

વૈશ્વિક બજારના નિયમો અનુસાર આવા આયાત પર સંબંધિત દેશ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદી શકે છે. તેથી સ્થાનિક ઉત્પાદકો માટે સમાન અવસર ઉપલબ્ધ થઈ શકે. જો કે DGTR જેવી તપાસ સંસ્થાની વિનંતી પર જ આવી કોઈ પણ ફરજ લાદવામાં આવી શકે છે.

 

WTOના નિયમો મુજબ

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના નિયમો અનુસાર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવી એ ખોટી પ્રથા નથી. ભારત અને ચીન બંને વૈશ્વિક વેપાર ધોરણોને અનુસરે છે. આ પરિસ્થિતીમાં આ જ પગલું યોગ્ય રહેશે. જો કોઈ દેશને લાગે કે અન્ય દેશોમાંથી કરવામાં આવતી આયાતને કારણે સ્થાનિક ઉત્પાદકોને સમાન અવસર નથી મળી રહ્યો તો તે આવી ડ્યૂટી લાદી શકે છે.

 

આ પણ વાંચો :  કર્મચારીઓ માટે સારા સમાચાર : કોરોનાના કારણે આર્થિક કટોકટીનો સામનો કરવા છતાં કંપનીઓ કર્મચારીઓને ખુશ રાખશે, 97% કંપની પગાર વધારો આપશે

 

આ પણ વાંચો : Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી

Next Article