AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ બે કોલસાની ખાણોની હરાજી, કુલ 30 ખાણોમાંથી 8,100 કરોડની આવકનો અંદાજ

જૂન 2020 પછીથી અત્યાર સુધી 30 ખાણોની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. અનુમાન મુજબ આનાથી 85 હજારથી વધુ લોકોને રોજગારી મળશે.

વધુ બે કોલસાની ખાણોની હરાજી, કુલ 30 ખાણોમાંથી 8,100 કરોડની આવકનો અંદાજ
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:52 PM
Share

કોલસા મંત્રાલયે (Coal Ministry) વધુ બે કોલસાની ખાણો (coal mines)ની હરાજી કરી છે. આ સાથે અત્યાર સુધીમાં 30 ખાણોની કોમર્શિયલ હરાજી (commercial auction) પૂર્ણ થઈ ગઈ છે. સરકારનો અંદાજ છે કે આ ખાણોમાંથી કુલ 8,158 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે. આ સાથે જ 85 હજારથી વધુ લોકોને રોજગાર મળશે.

હરાજીમાં કોને મળી પસંદગી

અધુનિક પાવર એન્ડ નેચરલ રિસોર્સ લિમિટેડ ઝારખંડમાં લાલગઢ (ઉત્તર) કોલસાની ખાણ માટે પસંદગી બિડર તરીકે ઉભરી આવી છે. ઓરો કોલ પ્રાઈવેટ લિમિટેડ મધ્યપ્રદેશમાં બેહરાબંદ નોર્થ એક્સટેન્શન કોલસાની ખાણ માટે પસંદગીની બિડર તરીકે ઉભરી આવી છે, કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલય અનુસાર લાલગઢ ખાણમાંથી વાર્ષિક 213 કરોડ રૂપિયાની આવક થઈ શકે છે.

તે જ સમયે બહેરાબંધ ખાણમાં આંશિક રીતે સર્ચ કાર્ય કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેની પીઆરસી ઉપલબ્ધ નથી અને તેના કારણે હાલમાં બહેરાબંધ ખાણમાંથી આવકનો અંદાજ લગાવવામાં આવ્યો નથી. કોલસા મંત્રાલયે 27 સપ્ટેમ્બરના રોજ કોમર્શિયલ માઈનિંગ માટે 11 કોલસાની ખાણોની હરાજીનો બીજો પ્રયાસ શરૂ કર્યો અને તેને ચાર ખાણો માટે બિડ મળી છે. બે ખાણો માટે હરાજી હાથ ધરવામાં આવી હતી જેના માટે બહુવિધ બિડ પ્રાપ્ત થઈ છે.

અત્યાર સુધીમાં 30 ખાણની હરાજી થઈ

આજે આપવામાં આવેલી માહિતી અનુસાર આ બે ખાણોની હરાજી પૂર્ણ થવાની સાથે કોલસા મંત્રાલયે જૂન 2020માં પ્રથમ તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 30 ખાણની સફળતાપૂર્વક હરાજી કરી છે. તેમાંથી 23 ખાણોમાં સંશોધન કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે 7 ખાણોમાં સંશોધન કાર્ય આંશિક રીતે પૂર્ણ થયું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હરાજીએ બજારમાં સારી માંગનો સંકેત આપ્યો છે.

હરાજીમાં 4%ની ફ્લોર પ્રાઈસ સામે લગભગ 27.78%નું સરેરાશ પ્રીમિયમ મળ્યું છે, જ્યારે અત્યાર સુધીની હરાજી થયેલ કુલ મહત્તમ રેકોર્ડ ક્ષમતા 63.17 એમટીપીએ છે. એવો અંદાજ છે કે ખાણોમાંથી કુલ વાર્ષિક આવક 8158.03 કરોડ રૂપિયાની થઈ શકે છે, જ્યારે 85 હજારથી વધુ લોકોને તેમાંથી રોજગાર મળશે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર વાણિજ્યિક કોલસાની ખાણોની હરાજીમાં સખત સ્પર્ધા જોવા મળી છે અને નોન – એંડ યુઝર શ્રેણીના ઘણા સહભાગીઓ પહેલી વાર સામેલ થયા જેમ કે બિલ્ડિંગ બાંધકામ ક્ષેત્ર એટલે કે રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા વગેરે પણ આ હરાજીમાં સફળ બિડર તરીકે ઉભરી આવ્યા છે. જે એક મોટો સકારાત્મક સંકેત છે. તે જ સમયે અંતિમ ઉપયોગ સંબંધિત માપદંડો દૂર કર્યા પછી હવે ખાણકામ ઉદ્યોગમાં વધુ કાર્યક્ષમતા અને તકનીકી પ્રગતિ થવાની આશા છે.

આ પણ વાંચો :  Maharashtra Lockdown: ઓક્સિજનની માંગ અને દર્દીઓની સંખ્યામાં વધશે તો મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">