ઓબેરોય ગ્રુપના ચીફનું નીધન, હોટલ ઉદ્યોગને આપી હતી નવી દિશા
મહત્વના શહેરોમાં અનેક લક્ઝરી હોટેલો ખોલીને ઓબેરોય હોટલોને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવાનો શ્રેય ઓબેરોયને જાય છે. 2008 માં, તેમને દેશ પ્રત્યેની તેમની અસાધારણ સેવા માટે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ઓબેરોય ગ્રુપના અધ્યક્ષ પૃથ્વીરાજ સિંહ ઓબેરોયનું મંગળવારે સવારે નિધન થયું છે. 2022 માં, ઓબેરોય હોટેલ્સના વડા, જેઓ ‘બિકી’ તરીકે જાણીતા છે, તેમણે EIH લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને EIH એસોસિએટેડ હોટેલ્સ લિમિટેડના અધ્યક્ષ તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઓબેરોય એવા માણસ તરીકે ઓળખાય છે જેણે ભારતમાં હોસ્પિટાલિટી ઉદ્યોગને સંપૂર્ણપણે બદલી નાખ્યો. દેશ પ્રત્યેની સેવા બદલ તેમને પદ્મ વિભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.
ઓબેરોય ગ્રુપના અધ્યક્ષનું નિધન
મહત્વના શહેરોમાં અનેક લક્ઝરી હોટેલો ખોલીને ઓબેરોય હોટલોને આંતરરાષ્ટ્રીય સ્તરે લાવવાનો શ્રેય ઓબેરોયને જાય છે. 2008 માં, તેમને દેશ પ્રત્યેની તેમની અસાધારણ સેવા માટે ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
ફ્લેગશિપ EIH લિમિટેડના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી
પૃથ્વીરાજ સિંહ પીઆરએસ ઓબેરોયે તરીકે ઓળખાય છે. ઓબેરોય ગ્રુપના ફ્લેગશિપ EIH લિમિટેડના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી. ઓબેરોય ગ્રૂપની વેબસાઈટ મુજબ, વિવિધ દેશોમાં વૈભવી હોટેલોનું સંચાલન કરવા ઉપરાંત, ઓબેરોયએ ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઓબેરોય બ્રાન્ડ હવે અસાધારણ લક્ઝરી હોટેલ્સનું પ્રતીક છે.
સાંજે 4 વાગ્યે અંતિમ વિધી
કંપનીએ જણાવ્યું કે પીઆરએસ ઓબેરોયના અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે 4 વાગ્યે ભગવંતી ઓબેરોય ચેરીટેબલ ટ્રસ્ટ, ઓબેરોય ફાર્મ, કાપશેરા ખાતે કરવામાં આવશે. કંપનીના એક નિવેદન અનુસાર, ઓબેરોય ગ્રૂપના કોઈપણ, તેમજ જેઓ તેમને ઓળખતા હતા, તેઓ હાજરી આપવા અને તેમનું સન્માન કરવા માટે આવકાર્ય છે. 3 ફેબ્રુઆરી 1929ના રોજ જન્મેલા પીઆરએસ ઓબેરોય ઓબેરોય ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ રાય બહાદુર એમએસ ઓબેરોયના પુત્ર છે. કંપનીની વેબસાઈટ અનુસાર, તેઓ માનતા હતા કે લોકો કોઈપણ સંસ્થાની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે.
