Budget 2022: એસોચેમ એ NBFC સેક્ટર માટે કાયમી રિફાઇનાન્સ વિંડો બનાવવાનુ આપ્યુ સુચન

એસોચેમે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ બેંકની તર્જ પર NBFC માટે સીધા કેન્દ્રીય બેંક પાસેથી પુનઃધિરાણની વ્યવસ્થા કરવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.

Budget 2022: એસોચેમ એ NBFC સેક્ટર માટે કાયમી રિફાઇનાન્સ વિંડો બનાવવાનુ આપ્યુ સુચન
એસોચેમે NBFC સેક્ટર માટે કાયમી ચુકવણીની વ્યવસ્થાની હિમાયત કરી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:52 PM

ઇન્ડસ્ટ્રી બોડી એસોચેમે (Assocham) આગામી સામાન્ય બજેટમાં (Union Budget) NBFC સેક્ટર માટે રિફાઇનાન્સિંગ સિસ્ટમ બનાવવા અને તેમને અગ્રતા સેક્ટર હેઠળ બેન્કો પાસેથી લોન ઉપલબ્ધ કરાવવાનું સૂચન કર્યું છે. એસોચેમે બજેટ પહેલાની તેની ભલામણોમાં સરકારને જણાવ્યું હતું કે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) માટે ધિરાણ સપોર્ટ સેક્ટરમાં તરલતા સુનિશ્ચિત કરશે. આ ક્ષેત્ર નાણાકીય સમાવેશ અને સુવિધાજનક નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં NBFC સેક્ટરમાં બાહ્ય પરિબળોને કારણે લિક્વીડીટીની તંગી જોવા મળી છે. આવી સ્થિતિમાં વાજબી કિંમતે નાણાં ઉછીના લેવાની તેમની ક્ષમતાને અસર થઈ છે.

એસોચેમે જણાવ્યું હતું કે, નેશનલ હાઉસિંગ બેંક (જે હોમ ફાઇનાન્સ કંપનીઓ અથવા એચએફસીને પુનર્ધિરાણ કરે છે) ની તર્જ પર NBFC માટે ડાયરેક્ટ સેન્ટ્રલ બેંક પુનઃધિરાણ વ્યવસ્થાની લાંબા સમયથી માંગણી કરી રહી છે. નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિએ જૂન 2003માં NBFC માટે નવી પુનર્ધિરાણ સંસ્થાની રચના કરવાની ભલામણ કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બેંકો તરફથી પ્રાથમિકતા વાળા ક્ષેત્ર હેઠળ મળે લોન

ઉદ્યોગ મંડળે સૂચન કર્યું હતું કે NBFC ને બેન્કો પાસેથી પ્રાથમિકતા ક્ષેત્રની લોન મળવી જોઈએ. મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું હતું કે, NBFC નાણાકીય સમાવેશમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બેંકીંગ સુવિધા સાથે ન જોડાયેલા લોકોને અનુકૂળ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેથી અમે સુચન આપીએ છીએ કે, આ વ્યવસ્થા હેઠળ બેન્કો દ્વારા પ્રાથમિકતા ક્ષેત્રને આપવામાં આવતા ઉધારના 10 ટકા ઉપલબ્ધ કરાવી શકાય છે.

કોવિડ-19 મહામારીએ ગ્રામીણ બેંકોને પ્રતિકૂળ અસર કરી છે. આને ધ્યાનમાં રાખીને, આરબીઆઈએ બેંકો માટે કૃષિ, MSME અને હાઉસિંગ માટેના ધિરાણ માટે NBFCsને પ્રાથમિકતા ક્ષેત્રની લોન આપવાનું ફરજિયાત બનાવ્યું હતું. ઇન્ડસ્ટ્રી બોડીએ સૂચન કર્યું હતું કે,  પ્રાથમિકતાવાળા ક્ષેત્ર હેઠળ એનબીએફસીને બેન્કોને લોનને સ્થાયી બનાવવી જોઈએ.

આ ઉપરાંત, તેણે સરકારને NBFC માટે વૈકલ્પિક રોકાણ ફંડ સ્થાપવાની પણ ભલામણ કરી છે. બેંકો પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે નાણાંકીય સંસ્થાઓ સાથે રેમિટન્સ મિકેનિઝમ સ્થાપિત કરવા માટે સિક્યોર્ડ બોન્ડ ઇશ્યુ કરવાનો છે.

NBFC ને નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs/બોન્ડ્સ) જાહેર કરીને, પ્રાઈવેટ પ્લેસમેન્ટ તેમજ સાર્વજનિક ઈસ્યુ દ્વારા, ફ્લેક્સીબલ ટેન્યોર અને દરો સાથે ભંડોળ ઊભું કરવાની છૂટ છે. જ્યારે પ્રાઈવેટ પ્લેસમેન્ટમાં રોકાણકારોની સંખ્યા, ઈશ્યુની આવર્તન વગેરે પર મોટા નિયંત્રણો છે. બોન્ડનો જાહેર ઇશ્યુ ખૂબ ખર્ચાળ, કપરું અને ઈનફ્લેક્સિબલ હોય છે.

આ પણ વાંચો :  CNG, PNG Price Hike: CNG અને PNG ગેસના ભાવ ત્રણ અઠવાડિયામાં બીજી વખત વધ્યા, અહીં ચેક કરો નવા ભાવ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">