કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ફૂડ ઈન્ડસ્ટ્રી અને નાના ઉદ્યોગોને મોટી રાહત મળશે, જેઓ લાંબા સમયથી ગેસના જથ્થાની અછતનો સામનો કરી રહ્યા હતા.
સરકારે રાજ્યોને કોમર્શિયલ LPG ના વધારાના 20 ટકા જથ્થાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે. આ સાથે હવે કુલ સપ્લાય ‘પ્રી-ક્રાઇસિસ’ (સંકટ પહેલાના) સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. આ નવો નિયમ 23 માર્ચ 2026 થી અમલી બનશે અને આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
આ વધારાનો ગેસ જથ્થો અગ્રતાના ધોરણે નીચેના ક્ષેત્રોને આપવામાં આવશે:
વધારો તો મળ્યો છે, પણ સરકાર તેની પાછળ કડક દેખરેખ પણ રાખશે:
સરકારનો આ નિર્ણય હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે આર્થિક રાહત લાવશે, પરંતુ સાથે જ વ્યવસાયિકોને હવે ડિજિટલ રેકોર્ડ અને PNG તરફ વળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.