રોકાણકારો માટે ‘મોટા સમાચાર’! આ 3 લોકપ્રિય સ્કીમમાં ‘નવા રોકાણ’ પર લાગી ગઈ ‘અચાનક બ્રેક’

વિદેશી શેરબજારોમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસે તેની ત્રણ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્કીમ્સ (Fund of Funds) માં નવા રોકાણ પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી દીધો છે.

રોકાણકારો માટે મોટા સમાચાર! આ 3 લોકપ્રિય સ્કીમમાં નવા રોકાણ પર લાગી ગઈ અચાનક બ્રેક
| Updated on: May 16, 2026 | 6:53 PM

વિદેશી બજારોમાં રોકાણ કરનારા ‘મ્યુચ્યુઅલ ફંડ’ રોકાણકારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. Invesco Mutual Fund એ તેની 3 વિદેશી Fund of Funds એટલે કે FoF સ્કીમ્સમાં નવા રોકાણ પર કામચલાઉ (Temporary) પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, આ નિર્ણય વિદેશોમાં રોકાણની નક્કી કરેલી મર્યાદા પાર થતી અટકાવવા માટે લેવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ 11 મે, 2026 ના રોજ કારોબાર બંધ થયા પછી અમલમાં આવ્યો. પરિણામે, હવેથી આ યોજનાઓમાં કોઈ નવી મૂડી રોકાણ કરી શકાશે નહીં. આમાં લમ્પસમ રોકાણ, SIP, STP અને બીજી નવી રોકાણ યોજનાઓનો સમાવેશ થાય છે. જો કે, આનાથી હાલના રોકાણકારોના ફંડ ઉપાડવાની અથવા SWP જેવી સુવિધાઓનો ઉપયોગ કરવાની ક્ષમતા પર કોઈ અસર થશે નહીં.

કઈ સ્કીમ્સમાં રોકાણ પર બ્રેક લાગી?

  1. Invesco India – Invesco Global Equity Income Fund of Fund
  2. Invesco India – Invesco Pan European Equity Fund of Fund
  3. Invesco India – Invesco Global Consumer Trends Fund of Fund

આ સ્કીમ્સ દ્વારા રોકાણકારો વિદેશી શેરબજારો અને આંતરરાષ્ટ્રીય ફંડ્સમાં પૈસા રોકતા હતા.

શું-શું બંધ થયું?

  • નવું લમ્પસમ રોકાણ નહીં થાય.
  • નવી SIP શરૂ કરી શકાશે નહીં.

STP અને IDCW Transfer Plans નું નવું રજીસ્ટ્રેશન પણ બંધ રહેશે

આ સિવાય 11 મે 2026 સુધી રજીસ્ટર થયેલી જૂની SIP અને STP ના હપ્તાઓ પણ હાલ પૂરતા કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, આ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં એક્ટિવ રહેશે અને જ્યારે ફરીથી રોકાણ શરૂ થશે, ત્યારે તેમને ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

આખરે કેમ લેવાયો આ નિર્ણય?

SEBI એ વિદેશી રોકાણની એક મર્યાદા નક્કી કરી રાખેલી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તે મર્યાદાની અંદર રહીને જ વિદેશી શેરો અને ફંડ્સમાં રોકાણ કરી શકે છે. Invesco નું કહેવું છે કે, તે નક્કી કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવા માંગતું નથી, તેથી સાવચેતીના ભાગરૂપે નવા રોકાણ કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવ્યા છે.

રોકાણકારો પર શું અસર પડશે?

  • કંપનીએ જણાવ્યું છે કે, જે રોકાણકારોએ પહેલાથી જ પૈસા રોકેલા છે, તેમના માટે ઘણી સુવિધાઓ ચાલુ રહેશે.
  • રોકાણકારો પોતાના પૈસા ઉપાડી શકે છે.
  • Switch-out ની સુવિધા ચાલુ રહેશે.
  • SWP એટલે કે Systematic Withdrawal Plan ચાલુ રહેશે.
  • જૂના SWP ઇન્સ્ટોલમેન્ટ્સ પર કોઈ અસર થશે નહીં.
  • ટૂંકમાં, હાલમાં માત્ર નવું રોકાણ અને SIP જેવી એન્ટ્રી કામચલાઉ ધોરણે રોકવામાં આવી છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

નિષ્ણાતોનું કહેવું છે કે, આ માત્ર નિયમોનું પાલન કરવા માટે લેવાયેલું પગલું છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી પરંતુ જે લોકોની SIP અટકી છે, તેમણે AMC ની આગામી અપડેટ પર નજર રાખવી જોઈએ.

રોકાણકારો માટે ‘સુવર્ણ તક’! આ સ્ટોક પર નિષ્ણાતોએ આપ્યું ‘Buy’ રેટિંગ, ભાવ ₹672 સુધી જવાની કરી આગાહી

Follow Us