AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે ‘ભારત ચોખા’, મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના

છૂટક બજારમાં આવશ્યક ખાદ્યપદાર્થોની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે દેશના સામાન્ય લોકો સુધી સસ્તા 'ભારત ચોખા' પહોંચાડવાનું શક્ય બનશે. આટલું જ નહીં, સરકાર ચોખાનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે.

હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે 'ભારત ચોખા', મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના
Rice
| Updated on: Feb 02, 2024 | 10:37 PM
Share

દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ‘ભારત ચોખા’ હવે લોકોને તેમની નજીકની આ દુકાનો પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધી સરકાર મોબાઇલ વાન દ્વારા મર્યાદિત રીતે તેનું વેચાણ કરતી હતી. નવી યોજના આવતા સપ્તાહથી જ શરૂ થશે.

છૂટક બજારમાં આવશ્યક ખાદ્યપદાર્થોની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે દેશના સામાન્ય લોકો સુધી સસ્તા ‘ભારત ચોખા’ પહોંચાડવાનું શક્ય બનશે. આટલું જ નહીં, સરકાર ચોખાનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે.

‘ભારત ચોખા’ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ ઉપલબ્ધ થશે

કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ એક પ્રેસ મીટિંગમાં જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે બે સહકારી સમિતિઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) તેમજ કેન્દ્રીય સ્ટોર્સ દ્વારા છૂટક બજારમાં ‘ભારત ચોખા’ લોન્ચ કરાયા છે. રૂ.29 પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે.

એ જ રીતે ‘ભારત ચોખા’ પણ લોકોને ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર ઉપલબ્ધ થશે. સરકાર આવતા સપ્તાહથી ‘ભારત ચોખા’ 5 કિલો અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ કરાવશે. આ માટે સરકાર પ્રથમ તબક્કામાં રિટેલ માર્કેટમાં 5 લાખ ટન ચોખા મુકશે.

પહેલેથી જ ‘ભારત આટ્ટા’ અને ‘ભારત દાળ’નું વેચાણ

મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકાર ‘ભારત આટા’ અને ‘ભારત દાળ’ બજારમાં પહેલા કરતા સસ્તી વેચી રહી છે. સરકાર ‘ભારત આટા’ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ‘ભારત દાળ’ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. બજારમાં ફેલાયેલી અફવાઓને દૂર કરતાં સંજીવ ચોપરાએ કહ્યું કે સરકારની ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવવાની કોઈ યોજના નથી. જ્યાં સુધી કિંમતો ઓછી ન થાય ત્યાં સુધી નિયંત્રણો ચાલુ રહેશે.

આ પણ વાંચો એગ્રી ક્લિનિક અને એગ્રીબિઝનેસ સ્કીમ શું છે અને કેવી રીતે મળે છે લાભ ?

Follow Us
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
g clip-path="url(#clip0_868_265)">