AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે ‘ભારત ચોખા’, મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના

છૂટક બજારમાં આવશ્યક ખાદ્યપદાર્થોની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે દેશના સામાન્ય લોકો સુધી સસ્તા 'ભારત ચોખા' પહોંચાડવાનું શક્ય બનશે. આટલું જ નહીં, સરકાર ચોખાનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે.

હવે માત્ર 29 રૂપિયામાં ઓનલાઈન મળશે 'ભારત ચોખા', મોંઘવારી સામે લડવા સરકારની નવી યોજના
Rice
| Updated on: Feb 02, 2024 | 10:37 PM
Share

દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા સરકારી ચોખા ‘ભારત ચોખા’ હવે લોકોને તેમની નજીકની આ દુકાનો પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધી સરકાર મોબાઇલ વાન દ્વારા મર્યાદિત રીતે તેનું વેચાણ કરતી હતી. નવી યોજના આવતા સપ્તાહથી જ શરૂ થશે.

છૂટક બજારમાં આવશ્યક ખાદ્યપદાર્થોની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે આ પગલું ભર્યું છે. આ સાથે દેશના સામાન્ય લોકો સુધી સસ્તા ‘ભારત ચોખા’ પહોંચાડવાનું શક્ય બનશે. આટલું જ નહીં, સરકાર ચોખાનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે.

‘ભારત ચોખા’ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પણ ઉપલબ્ધ થશે

કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ એક પ્રેસ મીટિંગમાં જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક અને જથ્થાબંધ ભાવમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે બે સહકારી સમિતિઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) તેમજ કેન્દ્રીય સ્ટોર્સ દ્વારા છૂટક બજારમાં ‘ભારત ચોખા’ લોન્ચ કરાયા છે. રૂ.29 પ્રતિ કિલોના ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે.

એ જ રીતે ‘ભારત ચોખા’ પણ લોકોને ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઈ-કોમર્સ સાઇટ્સ પર ઉપલબ્ધ થશે. સરકાર આવતા સપ્તાહથી ‘ભારત ચોખા’ 5 કિલો અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ કરાવશે. આ માટે સરકાર પ્રથમ તબક્કામાં રિટેલ માર્કેટમાં 5 લાખ ટન ચોખા મુકશે.

પહેલેથી જ ‘ભારત આટ્ટા’ અને ‘ભારત દાળ’નું વેચાણ

મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકાર ‘ભારત આટા’ અને ‘ભારત દાળ’ બજારમાં પહેલા કરતા સસ્તી વેચી રહી છે. સરકાર ‘ભારત આટા’ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને ‘ભારત દાળ’ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે. બજારમાં ફેલાયેલી અફવાઓને દૂર કરતાં સંજીવ ચોપરાએ કહ્યું કે સરકારની ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવવાની કોઈ યોજના નથી. જ્યાં સુધી કિંમતો ઓછી ન થાય ત્યાં સુધી નિયંત્રણો ચાલુ રહેશે.

આ પણ વાંચો એગ્રી ક્લિનિક અને એગ્રીબિઝનેસ સ્કીમ શું છે અને કેવી રીતે મળે છે લાભ ?

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">