
વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ફરી એકવાર રોકાણના પરંપરાગત અને સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ડિફેન્સ સેક્ટર જેવા ચોક્કસ ક્ષેત્રોમાં તેજી જોયા પછી જ્યારે બજારમાં ઘટાડો આવે છે, ત્યારે સામાન્ય રોકાણકાર પોતાના પોર્ટફોલિયોમાં રહેલા લાલ રંગથી ચિંતિત થઈ જાય છે. આવી સ્થિતિમાં, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવા વિકલ્પ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારો ફરી FD તરફ વળ્યા જોકે, FDમાં રોકાણ કરતી વખતે રોકાણકારોના મનમાં હંમેશા એક મોટો ડર રહેતો હોય છે: “જો સમય પહેલા પૈસાની જરૂર પડી અને FD તોડવી પડી, તો બેંક કેટલી પેનલ્ટી લગાવશે?” ઐતિહાસિક રીતે જોઈએ તો, ભારતમાં બેન્કિંગ સિસ્ટમનો વિકાસ અંગ્રેજોના સમયથી થયો છે, જ્યાં શરૂઆતમાં બેંકો માત્ર નાણાંની સુરક્ષા માટે હતી. સમય જતાં, 1960માં બેંકોના રાષ્ટ્રીયકરણ પછી, સરકારે સામાન્ય જનતાને FDમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા અને 1990ના દાયકા સુધીમાં તે રોકાણનો સૌથી લોકપ્રિય વિકલ્પ બની ગયો. પરંતુ, પરંપરાગત બેન્કિંગ વ્યવસ્થામાં એક મોટો અવરોધ ‘પ્રીમેચ્યોર...
Published On - 8:20 pm, Fri, 24 April 26