વિસ્તારા પછી એર એશિયાનું પણ થશે મર્જર, 2023 સુધીમાં આ કંપનીઓ ટાટા ગ્રુપની હશે

|

Nov 03, 2022 | 11:03 AM

Air India : એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2023ના અંત સુધીમાં મર્જર થઈ શકે છે અને તેનો ઉદ્દેશ્ય એર ઈન્ડિયા જૂથ માટે સસ્તું એરલાઈન બનાવવાનો છે. મર્જર બાદ જે કંપની બનશે તેનું નામ 'એર ઈન્ડિયા એક્સપ્રેસ' (Air India Express) હશે. એર એશિયાની શરૂઆત 2014માં થઈ હતી જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે 2005માં ફ્લાઈટનું કામ શરૂ કર્યું હતું.

વિસ્તારા પછી એર એશિયાનું પણ થશે મર્જર, 2023 સુધીમાં આ કંપનીઓ ટાટા ગ્રુપની હશે
Airasia and air india express

Follow us on

એર ઈન્ડિયાએ (Air India) બુધવારે કહ્યું કે, એર એશિયા ઈન્ડિયાને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં (Air India Express) મર્જ કરવા માટે કામ ચાલી રહ્યું છે અને મર્જર 2023ના અંત સુધીમાં થઈ શકે છે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ પણ એર એશિયા ઈન્ડિયામાં 100% હિસ્સા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એરએશિયા ઈન્ડિયા એ ટાટા સન્સ અને એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આમાં ટાટા સન્સ 83.67 ટકા અને એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ 16.33 ટકા હિસ્સો ધરાવે છે. એ જ રીતે વિસ્તારા એરલાઈન્સ પણ એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે, જેમાં સિંગાપોર એરલાઈન્સનો હિસ્સો છે.

એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ વિલય 2023ના અંત સુધી હોઈ શકે છે અને ઉદ્દેશ્ય એર ઈન્ડિયા જૂથ માટે એક સસ્તી એરલાઈન બનાવવી છે. વિલય પછી જે કંપની બનશે તેને ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ (Air India Express) કહેવામાં આવશે. એરએશિયા 2014ની શરૂઆત થઈ હતી જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટ કામ 2005માં શરૂ થયું હતું. એર ઈન્ડિયાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે કિફાઈતી એરલાઈન એરએશિયા ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની પ્રક્રિયા કંપનીની રી-સ્ટ્રક્ચરિંગની યોજના હેઠળ છે. તેણે કહ્યું કે-આ પ્રક્રિયામાં લગભગ 12 મહિનાનો એટલે કે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

મર્જરનું આયોજન શું છે

અગાઉ, મલેશિયન એરલાઇન એરએશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એરએશિયા ઇન્ડિયામાં તેનો બાકીનો હિસ્સો એર ઇન્ડિયાને વેચવા માટે કરાર કર્યો છે. ટાટા ગ્રૂપ અને મલેશિયન એન્ટિટીની માલિકીની એરએશિયા ઇન્ડિયાએ જૂન 2014માં કામગીરી શરૂ કરી હતી. એરએશિયા એવિએશન ગ્રુપ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એર એશિયા ઇન્ડિયાના બાકીના શેર એર ઇન્ડિયાને વેચવા માટે શેર ખરીદી કરાર કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

એર ઈન્ડિયા ગ્રૂપના ખર્ચ-અસરકારક સંચાલનને એકીકૃત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે, એક કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે. જેની સહ-અધ્યક્ષતા એર એશિયાના મેનેજમેન્ટ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ ભાસ્કરન અને એર ઈન્ડિયા એક્સપ્રેસના મુખ્ય કાર્યકારી અધિકારી આલોક સિંઘ કરશે. આ કાર્યકારી જૂથ એર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સનની આગેવાની હેઠળની સમિતિને રિપોર્ટ કરશે. વિલ્સને કહ્યું, “અમે એર ઈન્ડિયા ગ્રુપને એક સસ્તું એરલાઈન બનાવવા માટે કામ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ.

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ આ વર્ષે જૂનમાં એર ઈન્ડિયા દ્વારા એરએશિયા ઈન્ડિયાના સમગ્ર હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનને મંજૂરી આપી દીધી છે. એરએશિયા એવિએશન ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બો લિંગહામે જણાવ્યું હતું કે, “જ્યારે અમે 2014 પછી ભારતમાં પ્રથમ વખત કામગીરી શરૂ કરી, ત્યારે Air Asiaએ અહીં એક વિશાળ બિઝનેસ બનાવ્યો, જે વિશ્વના સૌથી મોટા ઉડ્ડયન બજારોમાંનું એક છે.”

વિસ્તારાનું મર્જર ટૂંક સમયમાં શક્ય છે

બીજી તરફ વિસ્તારા એરલાઈન્સ અને એર ઈન્ડિયાનું મર્જર થઈ શકે છે. બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. વિસ્તારા એરલાઇન ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં ટાટા 51 ટકા અને સિંગાપોર એરલાઇન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે. વિસ્તારા અને એર ઈન્ડિયાનું મર્જર થશે કે બંને કંપનીઓને અલગ-અલગ એરલાઈન્સ તરીકે ચલાવવામાં આવશે, આ વખતે ચર્ચા વિચારણા થશે. આ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નિર્ણય આવી શકે છે. જોકે એર એશિયા અને એર ઈન્ડિયાના મર્જર બાદ બંને કંપનીઓ એક થઈ જશે.

Next Article