Budget Session 2022 : કોવિડ-19 સામે લડવાની ભારતની ક્ષમતા તેના રસીકરણ કાર્યક્રમમાં પુરવાર થઇ છે – રાષ્ટ્રપતિ

|

Jan 31, 2022 | 12:33 PM

Budget Session 2022 : કોરોનાવાયરસ(coronavirus) સામેની ભારતની લડાઈની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે(President Ram Nath Kovind) સંસદના બજેટ સત્રને સંબોધિત કર્યું હતું

Budget Session 2022 : કોવિડ-19 સામે લડવાની ભારતની ક્ષમતા તેના રસીકરણ કાર્યક્રમમાં પુરવાર થઇ છે  - રાષ્ટ્રપતિ
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે બજેટની શરૂઆત થઈ હતી

Follow us on

Budget Session 2022 : કોરોનાવાયરસ(coronavirus) સામેની ભારતની લડાઈની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે(President Ram Nath Kovind) સંસદના બજેટ સત્રને સંબોધિત કરતા કહ્યું: “કોવિડ-19 સામે લડવાની ભારતની ક્ષમતા તેના રસીકરણ કાર્યક્રમમાં સ્પષ્ટ હતી. એક વર્ષથી ઓછા સમયમાં અમે રસીના 150 કરોડથી વધુ ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આજે જ્યારે આપવામાં આવેલા ડોઝની સંખ્યાની વાત આવે છે ત્યારે આપણે વિશ્વના અગ્રણી દેશોમાંના એક છીએ.

સંસદના બજેટ સત્ર પહેલા રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ તમામ ધારાસભ્યોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ સત્ર વિશ્વ સમક્ષ ભારતની આર્થિક વૃદ્ધિ દર્શાવશે. “આજની વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત માટે ઘણી તકો છે. આ સત્ર દેશની આર્થિક પ્રગતિ, રસીકરણ કાર્યક્રમ અને મેડ ઈન ઈન્ડિયા રસીઓ અંગે વિશ્વમાં વિશ્વાસ જગાડે છે તેમ ”પીએમે ઉમેર્યું.

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટેના હાઈ ઓક્ટેન પ્રચાર(high-octane campaign)ની મધ્યમાં શરૂ થઈ રહ્યો છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થાય છે, જે લોકસભાના સમયપત્રક અનુસાર સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં થયું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારના સતત પ્રયાસોથી ભારત ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે. સરકારની નીતિઓને કારણે આજે ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ઈન્ટરનેટની કિંમત સૌથી ઓછી છે. સ્માર્ટ ફોનની કિંમત પણ અહીં સૌથી ઓછી છે. તેનો મોટો લાભ ભારતની યુવા પેઢીને મળી રહ્યો છે. આજે, ભારત વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટા મોબાઈલ ફોન નિર્માતા તરીકે ઉભરી આવ્યું છે.

કોવિડ રસીકરણ કાર્યક્રમ ભારતની ક્ષમતાનો પુરાવો

રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડ-19 સામેની લડાઈમાં ભારતની ક્ષમતાનો પુરાવો કોવિડ રસીકરણ કાર્યક્રમમાં જોવા મળ્યો છે. અમે એક વર્ષથી ઓછા સમયમાં 150 કરોડથી વધુ રસીના ડોઝનો રેકોર્ડ વટાવી દીધો છે. આજે દેશમાં 90 ટકાથી વધુ પુખ્ત નાગરિકોએ રસીનો એક ડોઝ મેળવ્યો છે જ્યારે 70 ટકાથી વધુ લોકોએ બંને ડોઝ લીધા છે. ભારતમાં વિકસાવવામાં આવી રહેલી રસી સમગ્ર વિશ્વને રોગચાળામાંથી મુક્ત કરવામાં અને લાખો લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ત્રણ તલાકની કુપ્રથાનો અંત આવ્યો

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારે ત્રણ તલાકને કાયદાકીય અપરાધ જાહેર કરીને આ દુષ્ટ પ્રથામાંથી સમાજને મુક્ત કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે મહિલા સશક્તિકરણ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. પુત્રો અને પુત્રીઓને સમાનતાનો દરજ્જો આપતા સરકારે મહિલાઓની લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માટે સંસદમાં બિલ પણ રજૂ કર્યું છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ એક લાખ 40 હજાર

સંબોધન દરમિયાન, રાષ્ટ્રપતિએ કહ્યું કે માળખાગત વિકાસના કાર્યને વધુ વેગ આપવા માટે, વિવિધ મંત્રાલયોની કામગીરીને પ્રધાનમંત્રીની ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન તરીકે એકસાથે જોડવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ દેશની સંભવિતતાને વેગ આપે છે જે દાયકાઓથી ઉપેક્ષિત હતી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની સિદ્ધિઓ ગર્વ લેવા જેવી છે. માર્ચ 2014માં આપણા દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 90 હજાર કિલોમીટર હતી, જ્યારે આજે તેમની લંબાઈ વધીને એક લાખ ચાલીસ હજાર કિલોમીટરથી વધુ થઈ ગઈ છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ 1.40 લાખ કિમિ

સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે માળખાગત વિકાસના કાર્યને વધુ વેગ આપવા માટે વિવિધ મંત્રાલયોની કામગીરીને પ્રધાનમંત્રીની ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન તરીકે એકસાથે જોડવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ દેશની સંભવિતતાને વેગ આપે છે જે દાયકાઓથી ઉપેક્ષિત હતી. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની સિદ્ધિઓ ગર્વ લેવા જેવી છે. માર્ચ 2014માં આપણા દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ 90 હજાર કિલોમીટર હતી જ્યારે આજે તેમની લંબાઈ વધીને એક લાખ ચાલીસ હજાર કિલોમીટરથી વધુ થઈ ગઈ છે.

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સરકાર દેશની સુરક્ષા માટે સંકલ્પ સાથે કામ કરી રહી છે. સરકારની નીતિઓને કારણે સંરક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને સંરક્ષણ ઉત્પાદનમાં દેશની આત્મનિર્ભરતા સતત વધી રહી છે. 83 LCA તેજસ ફાઇટર એરક્રાફ્ટના નિર્માણ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. સરકારે ઓર્ડનન્સ ફેક્ટરીઓને સાત ડિફેન્સ પીએસયુમાં પરિવર્તિત કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે. અમારો ધ્યેય એ છે કે આપણી સેનાને જરૂરી સાધનો ભારતમાં જ વિકસાવવામાં આવે અને તેનું ઉત્પાદન ભારતમાં થાય.

અમૂલ્ય વારસો ભારતમાં પાછો લવાયો

ભારતની પ્રાચીન ધરોહરની જાળવણી, સમૃદ્ધિ અને સશક્તિકરણ કરવાની સરકાર તેની જવાબદારી માને છે. ભારતનો અમૂલ્ય વારસો દેશમાં પાછો લાવવો એ પણ સરકારની પ્રાથમિકતા રહી છે. એકસો વર્ષ પહેલા ભારતમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ પરત લાવી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Budget 2022 : બજેટ કઈ તારીખે અને કયા સમયે રજૂ થશે? અહીં જોવા મળશે બજેટનું જીવંત પ્રસારણ પ્રસારણ

 

આ પણ વાંચો :  Economic Survey 2022 : બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, જાણો શું માહિતી પુરી પાડે છે આ દસ્તાવેજ

Published On - 11:38 am, Mon, 31 January 22

Next Article