Bhakti: શા માટે મુખ્ય દ્વાર પર કરવામાં આવે છે સિંદૂરનું તિલક ? જાણો, સિંદૂરનું ધાર્મિક મહત્વ

સિંદૂરનો સંબંધ મન અને શરીર સાથે જોડાયેલો છે. માન્યતા અનુસાર તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જેનાથી તણાવ અને અનિંદ્રા જેવાં રોગ દૂર થાય છે. તો સાથે જ ચહેરા પર કરચલીઓ પણ નથી પડતી !

Bhakti: શા માટે મુખ્ય દ્વાર પર કરવામાં આવે છે સિંદૂરનું તિલક ? જાણો, સિંદૂરનું ધાર્મિક મહત્વ
Sindoor (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 18, 2022 | 6:39 AM

હિંદુ (hindu) પૂજાવિધિમાં સિંદૂર (sindoor) એક આગવું જ મહત્વ ધરાવે છે. સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે સેંથામાં સિંદૂર લગાવતી હોય છે. તો હિંદુ પરંપરામાં ગજાનન શ્રીગણેશ અને હનુમાનજીને સિંદૂર લગાવવાનો તેમજ સિંદૂરી વાઘા અર્પણ કરવાનો મહિમા છે. ત્યારે આવો આજે જાણીએ કે આધ્યાત્મિક મહત્વ ધરાવતા સિંદૂરનું સત્ય શું છે ? અને તેનાથી જીવનમાં કેવાં પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.

સિંદૂરનું મહત્વ

પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ સાથે કેટલીક એવી માન્યતાઓ પણ છે જેના આધારે સિંદૂરની પ્રથા સદીઓથી ચાલી રહી છે. તેનો સંબંધ મન અને શરીર સાથે જોડાયેલો છે. શરીરના જે ભાગ પર સિંદૂર લગાવવામાં આવે છે તે બહુ જ કોમળ હોય છે. આ સ્થાનને બ્રહ્મરંધ્ર કહે છે.બ્રહ્મરંધ્ર એટલે મસ્તક પરનું છિદ્ર. જયાં પ્રાણ જતા બ્રહ્મજ્ઞાન મળે છે. સિંદૂરમાં પારો હોય છે. જે એક દવાનું કામ કરે છે. તે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જેનાથી તણાવ અને અનિંદ્રા જેવાં રોગ દૂર થાય છે. સાથે જ ચહેરા પર કરચલીઓ નથી પડતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાસ્તુ અનુસાર સિંદૂરનું મહત્વ

આપે જોયું હશે કે કેટલાક લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજા પર સરસવનું તેલ અને સિંદૂર મિક્સ કરીને તિલક લગાવે છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે તો આ તિલક જરૂરથી જ કરવામાં આવે છે. શું તમે જાણો છો આ કરવા પાછળનું રહસ્ય ? વાસ્તુવિજ્ઞાન અનુસાર દરવાજા પર સિંદૂર અને તેલ લગાવવાથી ઘરમાં કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશી નથી શકતી. આ તિલક કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ પણ દૂર થાય છે. જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઇએ તો પ્રવેશદ્વાર પર તેલ લગાવવાથી દરવાજો લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. એટલે જ મુખ્ય દ્વાર પર સિંદૂર લગાવવાની આ પરંપરા ચાલી રહી છે.

સિંદૂરના ફાયદા

⦁ સિંદૂર માનસિક તણાવથી મુક્ત કરે છે.

⦁ સિંદૂરનો લાલ રંગ શક્તિ અને સ્ફૂર્તિનું પ્રતિક છે.

⦁ આપને જણાવી દઇએ કે ભગવાન હનુમાનજીની પૂજા સિંદૂરથી જ કરવામાં આવે છે.

⦁ મંદિરોમાં ઘણાં દેવી દેવતાઓને પણ સિંદૂર લગાવવામાં આવે છે.

⦁ આપણાં દેશમાં કેટલાક તહેવારોમાં સિંદૂરદાનનું મહત્વ જોવા મળે છે. છઠ્ઠ પૂજા, નવરાત્રિ, ત્રીજ, કરવાચોથ જેવા તહેવારોમાં તો સ્ત્રીઓ ખાસ સેંથામાં સિંદૂર ભરતી જોવા મળે છે.

⦁ છઠ્ઠની પૂજામાં તો સ્ત્રીઓ મસ્તકથી લઇને નાક સુધી સિંદૂર લગાવે છે. તેની પાછળનું કારણ પતિનું દીર્ઘાયુષ્ય છે. સાથે જ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધતી હોવાની માન્યતા છે.

⦁ છઠ્ઠના તહેવારમાં સ્ત્રીઓ પીળા રંગનું સિંદૂર લગાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત

આ પણ વાંચો : આ મંત્ર સાથે મહાદેવને અર્પણ કરો ખાસ પુષ્પ, ચોક્કસથી પ્રાપ્ત થશે દેવાધિદેવની કૃપા !

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">