
વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન ભારતીય સ્થાપત્ય છે. જે કુદરતી ઉર્જા, 5 તત્વો અને 8 દિશાઓના સંતુલન દ્વારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે માર્ગદર્શન આપે છે. વાસ્તુ શાસ્ત્ર સુખ, શાંતિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે જો ઘરની ડિઝાઇન અને વ્યવસ્થા વાસ્તુ દિશા અને નિયમો અનુસાર હોય, તો જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે.
જો તમારા ઘરમાં નળમાંથી પાણી લિકેજ થતું હોય તો તેને અવગણશો નહીં. વાસ્તુ અનુસાર, આ સતત ધનહાનિની નિશાની છે. આ સમસ્યાઓને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવી મહત્વપૂર્ણ છે.
શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને સકારાત્મક ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવેલું છે. જો અહીં ચંપલ અથવા કચરાના ઢગલા હોય તો તે સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. તેથી આ જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ.
ઘરમાં ખરાબ ફર્નિચર, તૂટેલા અથવા ખરાબ ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ અથવા તૂટેલી ડેકોરેશનની વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા વધે છે. વાસ્તુ અનુસાર, આવી વસ્તુઓ જીવનમાં તણાવ લાવે છે. તેથી આવી વસ્તુઓ દૂર કરવી જોઈએ.
અરીસો ફક્ત શણગાર માટે નથીં. તે ઉર્જા અસરકારક તત્વ પણ છે. બેડરૂમમાં અથવા ખોટી દિશામાં અરીસો મુકવામાં આવે તો તે તણાવ અને અસંતુલનનું કારણ બની શકે છે. તેથી, અરીસાની સાચી દિશા સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે. અરીસો લગાવવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર અથવા પૂર્વ છે.
વાસ્તુમાં રસોડા માટે ઉત્તર-પૂર્વ દિશાને પવિત્ર માનવામાં આવેલું છે. આ દિશામાં સ્થિત રસોડું ઘરની સકારાત્મક ઉર્જાને અસર કરી શકે છે. રસોડાની બરાબર સામે કે ઉપર-નીચે ટોયલેટ ન હોવું જોઈએ.
ઘરમાં સિંધવ મીઠું રાખવાથી નકારાત્મકતા ઓછી થાય છે. ઉત્તર દિશામાં મની પ્લાન્ટ અથવા નાનો ફુવારો મૂકવો પણ શુભ માનવામાં આવે છે. સમયાંતરે કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો જોવા મળે છે.